Ahmedabad Plane Crash: 1.4 કરોડ રૂપિયા અને વીમો અલગ... પ્લેન ક્રેશ બાદ પરિવારને કેટલી મળે છે સહાય? જાણો નિયમ

Ahmedabad Plane Crash: આ પહેલી વાર નથી જ્યારે બોઇંગ વિમાન ક્રેશ થયું હોય. આ પહેલા પણ બોઇંગ કંપનીના ઘણા વિમાનો ક્રેશ થયા છે. બોઇંગ કંપનીનું કહેવું છે કે, બોઇંગ 787 ડ્રીમલાઇનર પહેલી વાર ક્રેશ થયું છે. જો કે, બોઇંગનું 737 મેક્સ ઘણી વખત ક્રેશ થયું છે.

Ahmedabad Plane Crash: 1.4 કરોડ રૂપિયા અને વીમો અલગ... પ્લેન ક્રેશ બાદ પરિવારને કેટલી મળે છે સહાય? જાણો નિયમ

Ahmedabad Plane Crash: 12 જૂનના રોજ લંડન ગેટવિક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 લોકો સવાર હતા, જેમાં 10 ક્રૂ મેમ્બર્સ, 2 પાઈલટ અને 230 મુસાફરોનો સમાવેશ થતો હતો. બોઈંગ કંપનીનું B-787 ડ્રીમલાઈનર આ દુર્ઘટનામાં સામેલ હતું.

આ પહેલી વાર નથી જ્યારે બોઇંગ વિમાન ક્રેશ થયું હોય. આ પહેલા પણ બોઇંગ કંપનીના ઘણા વિમાનો ક્રેશ થયા છે. બોઇંગ કંપનીનું કહેવું છે કે, બોઇંગ 787 ડ્રીમલાઇનર પહેલી વાર ક્રેશ થયું છે. જો કે, બોઇંગનું 737 મેક્સ ઘણી વખત ક્રેશ થયું છે. આ વિમાનને અપડેટ કર્યા પછી 2018, 2019 અને 2024માં પણ આ વિમાન ક્રેશ થયું હતું, જેમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો આવા અકસ્માતમાં કોઈ મુસાફરનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારને કેટલી સહાય મળે છે અને તે કોણ આપે છે. ચાલો જાણીએ કે, એરલાઇન કંપનીઓ માટે શું નિયમો છે?

વિમાન દુર્ઘટનામાં સહાય અંગેના નિયમો?
આજના સમયમાં વિમાનમાં મુસાફરી કરવી જેટલી અનુકૂળ છે તેટલી જ જોખમી પણ બની શકે છે. એક ભૂલને કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં એરલાઇન્સ અને DGCA દ્વારા કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેથી ઈમરજન્સીની સ્થિતિમાં પીડિતોના પરિવારોને નાણાકીય લાભ મળી શકે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આ નિયમો અલગ અલગ છે.

1.4 કરોડ રૂપિયાની સહાય
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મૃત્યુ અથવા શારીરિક ઇજાના કિસ્સામાં ભારતમાં કાર્યરત એરલાઇન્સ મોન્ટ્રીયલ કન્વેન્શન 1999ના નિયમથી બંધાયેલી છે, એક આંતરરાષ્ટ્રીય સંધિ જેના પર ભારતે પણ હસ્તાક્ષર કર્યા છે. આ કન્વેન્શન હેઠળ દરેક મુસાફર માટે 1,28,821 સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) એટલે કે લગભગ 1.4 કરોડ રૂપિયા આપવામાં આવે છે. જો તે સાબિત થાય કે અકસ્માત એરલાઇનની ભૂલને કારણે થયો છે, તો આ સહાય વધુ વધી શકે છે.

આ સહાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગુ પડે છે, પરંતુ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ની માર્ગદર્શિકા મુજબ ભારતીય એરલાઇન્સ ઘણીવાર સ્થાનિક રૂટ માટે પણ સમાન કવરેજ આપી શકે છે. આ વળતર એરલાઇન્સ અને વીમા કંપની દ્વારા આપવામાં આવે છે.

મુસાફરી વીમાના ફાયદો
ઘણી વીમા કંપનીઓ લોકોને જોખમી મુસાફરીથી બચાવવા માટે કવરેજ આપે છે. આમાં સામાન્ય રીતે 25 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીના આકસ્મિક મૃત્યુ લાભો અને 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીના કાયમી અપંગતા સહાયનો સમાવેશ થાય છે. આવા કિસ્સામાં જો કોઈ મુસાફરે વીમો લીધો હોય તો તેના પરિવારને પણ આ કવરનો લાભ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news