)
Ahmedabad : અમદાવાદના આંગણે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક દિવસ પહેલા આજે કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ અમદાવાદ આવી પહોંચશે. મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, ડી કે શિવકુમાર, રણદીપ સુરજેવાલા સહિત 700 નેતાઓ આજે અમદાવાદ પહોંચશે.
આવતીકાલે મળનાર CWC બેઠકના સભ્યો પણ આજે અમદાવાદ પહોંચશે. CWC બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે. 8 એપ્રિલે CWC બેઠક અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિતો સહિત 1900 સભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટેલના બે હજાર રૂમ બુક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લે માર્ચ 2019 માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. 1902 માં ગુજરાતમાં પ્રથમવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળ્યું હતું. વર્ષ 1907 માં સુરત, 1921 માં અમદાવાદ, 1938 માં બારડોલીના હરિપુરા અને 1961 માં ભાવનગર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં મળ્યું હતું. તેના બાદ 2025 માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા, ક્યારે શું થશે
કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે - અમિત ચાવડા
કોગ્રેસના અધિવેશન વિશે અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતના લોકો માટે કામ કરવા માગે છે આ અધિવેશન તેનો સંદેશ બનશે. સાંપ્રદ પરિસ્થિતિથી જનતાને વાકેફ કરાવવામાં આવશે. આ અધિવેશનમાં કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે. આ અધિવેશન ખૂબ મહત્વનું બની રહેશે. ગાંધી આશ્રમમાં સાંજે પ્રાર્થના સભા યોજાશે. ગુજરાત ગાંધીજી અને સરદારનું ગુજરાત છે. આજે બંધારણીય અધિકરો છીનવાઇ રહ્યા છે. ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવા, નાના વેપારિઓ સાહિતની હાલાકીને ધ્યાને લેવાશે. ગુજરાતમાં ડ્રગસ દારૂ, વ્યસનો તરફ યુવાઓ વધ્યા છે તે મુદ્દે પણ ચર્ચા થશે.
અમદાવાદના આંગણે કોંગ્રેસનું ભવ્ય અધિવેશન
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રસ ભવ્ય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે. એક બાદ બાદ કોંગ્રેસના નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યાં છે. Aiccના મેમ્બર અમદાવાદ આવી પહોચ્યા છે. અધિવેશન હાજરી આપવા માટે vip ડેલિગેટ્સ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. ૯ એપ્રિલે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ન્યાય પથ સંકલ્પ સમર્પણ સંઘર્ષ બેઠક મળશે. આજે સાંજે ૪ વાગે મલ્લિકા અર્જુને ખડગે અમદાવાદ આવશે. મણિપુરના પૂર્વ મુખ્યમત્રી હાલ વિરોધ પક્ષ નેતા ઓકરામ લોબ્ધીસિહ આવી પહોંચ્યા છે. જેઓને સાંસદ ગેનીબેન ઠાકોર,ગીતા પટેલ, મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના નેતાને આવકારવા પહોંચ્યા હતા.
ગુજરાત જીતવા કોંગ્રેસે કસી કમર--
આવતી કાલે સોનિયા ગાંધી ગુજરાત આવશે--
આવતી કાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે--
કોંગ્રેસના મોટા નેતાઓનો ગુજરાતમાં પડાવ-- pic.twitter.com/ZZgsgv1KLg— Zee 24 Kalak (@Zee24Kalak) April 7, 2025
અધિવેશનમાં વિવિધ ઠરાવ પાસ કરાશે
2025 માં અમદાવાદમાં કોંગ્રેસનું વધુ એક અધિવેશનમાં મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર 9 એપ્રિલે યોજાશે. અધિવેશન માટે 2 હજાર લોકોની ક્ષમતાનો એસી ડોમ તૈયાર કરાઈ રહ્યો છે. સવારે 9:30 કલાકથી સાંજ 5 વાગ્યા સુધી અધિવેશન ચાલશે. અધિવેશનમાં અલગ-અલગ ઠરાવ કરવામાં આવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાનું મોટું નિવેદન સામે આવ્યુઁ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પરિવારની બેઠક અંગે ભાજપ કેમ હસ્તક્ષેપ કરે છે. ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે. આ અધિવેશનની અસર સમગ્ર દેશના થશે. 2027ની ચૂંટણીમાં આની અસર થશે. કોંગ્રેસના DNAમાં ગુજરાત છે.