અમદાવાદ ન્યૂઝ

હવે GTU માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બનશે કરોડપતિ, કેન્દ્ર સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી
કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જીટીયુ ખાતે TBI સેન્ટર સ્થાપવા માટે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત AIC, DIC અને TBI ત્રણે સેન્ટર ધરાવતી ભારતની એકમાત્ર યુનિવર્સિટી બનવાનું ગોરવ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. TBIની મંજૂરી મળવાથી ટેક્નિકલ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સને મેન્ટરીંગ સપોર્ટ, પ્રોટોટાઈપ, પ્રોજેક્ટ ડિઝાઈન અને આર્થિક રીતે પણ વિવિધ લાભો મળી રહેશે. હાલમાં જ પ્રથમ ફેઝમાં 93 લાખની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાઇ છે.
Apr 8, 2021, 05:16 PM IST
GUJARAT: વિકાસ મોડેલ ખુલી ગઇ પોલ, ક્યાંક દવા, ક્યાંક વેક્સિન ક્યાંક ટેસ્ટિંગ કિટ બધુ જ ખાલી
ગુજરાતનાં કથિત વિકાસ મોડેલની પોલ હવે ધીરે ધીરે ખુલી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના બીજા વેવમાં ગુજરાત સરકાર ઘુંટણીયાભેર થઇ ચુકી છે. વેક્સિનેશન અને ટેસ્ટિંગના દાવાઓ હવે પોકળ સાબિત થઇ રહ્યા છે. અમદાવાદમાં ટેસ્ટિંગના નામે ઉભા કરી દેવાયેલા ડોમમાં બપોર થતા સુધીમાં ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે.
Apr 8, 2021, 04:48 PM IST
ઓક્સિજન નહિ મળે તો મરી જશે 22 દર્દીઓ... અમદાવાદની હોસ્પિટલના સંચાલકે વીડિયોથી મદદ માંગી
સરકાર ભલે સબ સલામતના દાવા કરતી હોય. પરંતુ ચારે તરફથી ઉઠી રહેલી ફરિયાદો અને સ્મશાનોમાં પડેલા મૃતદેહો પોકારી પોકારીને કહે છે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે હોસ્પિટલમાં કુલ 28 દર્દી દાખલ છે, જેમાંથી 22ની સ્થિતિ નાજુક છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર તો 6 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે છે
Apr 8, 2021, 04:15 PM IST
રેસડેસિવીર લેવા માટે હોસ્પિટલ હાઉસફુલ કરતા દર્દીઓ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
મહાનગરોની સાથે મોરબીમાં પણ દર્દીઓની સંખ્યા વધી, સતત રિવ્યૂ કરીએ છીએ - નીતિન પટેલ માત્ર રેમડેસિવીર માટે હોસ્પિટલમાં દાખલ નહિ થવુ પડે, 2-3 કલાકમાં ઈન્જેક્શન લઈને ઘરે જઈ શકાશે
Apr 8, 2021, 01:59 PM IST
અદાણી શાંતિગ્રામમાં મહિલા ડોક્ટરે કરી આત્મહત્યા, પોલીસ પહોંચી ઘટનાસ્થળે
અદાણી શાંતિગ્રામ (Adani Shantigram) આવેલા લીલી એપાર્ટમેન્ટમાં ડોક્ટરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. એમડી ડોક્ટર મનીષાબેન જીસીએસ (GCS) હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવત હતા.
Apr 8, 2021, 01:10 PM IST
રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા
રૂપાણી સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
Apr 8, 2021, 12:13 PM IST
મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના ફેક ન્યૂઝ વાયરલ થતા જ આપવો પડ્યો મોટો ખુલાસો
મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ટ્વિટ કરવાની ફરજ પડી હતી. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવો પડ્યો હતો, આ સમાચાર ફેક છે. તેથી આ વાત પર ધ્યાન આપવું નહિ. ફેક ન્યૂઝ (fake news) માં લોકોએ મુખ્યમંત્રીના પરિવારને પણ છોડ્યા નથી.
Apr 8, 2021, 08:25 AM IST
વાહનોની બેટરી ચોરીના કૌભાંડનો પર્દાફાશ, ચીરીની 8 બેટરી સાથે એક આરોપીની ધરપકડ
ભારે વાહનોની બેટરી ચોરી કરતા એક શખ્સને ઝડપી નરોડા પોલીસે અનેક બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. નરોડા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૂકેલી ટાટા આઇવાના 8 ડમ્પરમાંથી અલગ અલગ કંપનીની આઠ બેટરીઓ ચોરી થઈ હતી
Apr 7, 2021, 10:56 PM IST
Acid Attack: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પર એસિડ એટેક, પોલીસ દોડતી થઇ
અમદાવાદમાં (Ahmedabad) વધુ એક એસિડ એટેકની ઘટના બની છે. પરંતુ આ વખતે કોઈ મહિલા પર એસિડ એટેક (Acid Attack) નથી થયો પણ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો છે
Apr 7, 2021, 10:36 PM IST
GTU ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ
GTU ની એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ (Exam) મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ (Exams Postponed) રાખવાનો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
Apr 7, 2021, 08:46 PM IST
Ahmedabad: સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં, 300 થી વધુ ડોક્ટરોએ બંધ કરી કોવિડ ડ્યૂટી
સિવિલ (Ahmedabad Civil Hospital) કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ કોવિડ ડ્યૂટી (Covid Duty) બંધ કરી છે. છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં અંતે ન્યાય ના મળતા જુનિયર ડોક્ટર્સ એસોસિયેશને (Junior Doctors Association) ગંભીર પગલાં ઉઠાવ્યા છે
Apr 7, 2021, 05:44 PM IST
પાકિસ્તાનમાં બેસેલા ISI ના આકાઓએ અમદાવાદમાં આગ લગાડી, નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ
કાલુપુરમાં લાગેલી આગ બનાવટી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, આ આગ લગાડવા માટે રૂપિયા મળ્યા હતા નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો
Apr 7, 2021, 02:41 PM IST
સમીક્ષા બેઠકમાં લેવાયો મોટો નિર્ણય: સિવિલ હોસ્પિટલમાં OPD બંધ કરવાનો લેવાયો નિર્ણય
વિલ મેડિસીટીમા આવેલી કેન્સર, કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Apr 7, 2021, 02:25 PM IST
સરકારના દાવા વચ્ચે શક્તિસિંહ ગોહિલનો આરોપ, નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે
આ હોસ્પિટલમાં ICU બેડ માત્ર ૩૦૦ જ છે અને વ્યવસ્થા તંત્રમાં ભયંકર અવ્યવસ્થા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને જવાબ સુધ્ધા આપવા કોઈ હોતું નથી.
Apr 7, 2021, 11:33 AM IST
હોસ્ટેલના રૂમમાં લટકતી મળી વિદ્યાર્થીની, ચિઠ્ઠી પર મોટા અક્ષરોથી લખ્યું હતું ‘I LOVE YOU નિખિલ’
મૂળ સુરેન્દ્રનગરની અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારની મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની પલ્લવી પડ્યાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ એલિસબ્રિજ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને વિદ્યાર્થીનીના રૂમમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લોહીથી લખ્યું હતું કે, આઈ લવ યુ નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી. સ્યૂસાઇડ નોટ મળી આવતા વિદ્યાર્થીનીએ પ્રેમમાં આત્મહત્યા કરી કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
Apr 7, 2021, 07:33 AM IST
હવે માત્ર 11 હજાર રૂપિયા ભરો અને સોમનાથ મંદિરના પટાંગણમાં કરો લગ્ન, તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે!
એક તરફ વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોનો ખર્ચ સામાન્ય અને મધ્યમ વર્ગની પરવડે તેવો રહ્યો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્ટીનેશનનો ક્રેઝ વધી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ લગ્ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિ અને ચલણને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે.
Apr 6, 2021, 08:54 PM IST
નકલી પોલીસ બાદ હવે નકલી પત્રકારોની ભરમાર, આ પ્રકારે ઝડપાઇ તોડબાજ ટોળકી
નકલી પત્રકાર બની સ્પાનાં સંચાલક પાસે તોડ કરવા જનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્પાનાં નામે ગોરખધંધા થતા હોવાનું છટકું ગોઠવીને આ ટોળકી તોડ કરવાનો પ્રયાસ કરતી હતી. એટલું જ નહિં આ ટોળકી સોનાનો ચેઇન ચોરી થયો હોવાની ખોટી ફરીયાદ કરી હતી. પોલીસને પણ ગુમરાહ કરતી હતી. જોકે પોલીસે ઉલટ તપાસ કરતા આ તોડબાજ ટોળકીનો પર્દાફાશ થયો છે.
Apr 6, 2021, 05:49 PM IST
AHMEDABAD: 10થી 14 એપ્રિલ સુધી ગુજરાત હાઇકોર્ટ રહેશે બંધ, ચીફ જસ્ટિસે લીધો નિર્ણય
ગુજરાતમાં કોરોના જે સ્પિડથી વધી રહ્યો છે તેને જોતા સ્થિતી ધીરે ધીરે વધારે ગંભીર બને તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને લોકડાઉન અંગે ટકોર પણ કરવામાં આવી છે. કોરોનાની ચેઇન તોડવા માટે કોઇ મોટુ પગલું લેવું જરૂરી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જેના પગલે લોકડાઉન થાય તેવી શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Apr 6, 2021, 04:50 PM IST
AHMEDABAD ની ગંભીર સ્થિતિને જોતા SVP માં બીજી તમામ સારવાર બંધ કરી કોરોનાની જ સારવાર થશે
ગુજરાતમાં કોરોના જે પ્રકારે વકરી રહ્યો છે તેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોનાના કેસ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સ્થિતી સૌથી ચિંતાજનક છે. જેના કારણે આજે મુખ્યમંત્રી અને નાયબમુખ્યપ્રધાને પણ સુરતની મુલાકાત લઇને સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા પણ વણસી રહેલી સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.
Apr 6, 2021, 04:38 PM IST
કોરોના વચ્ચે આવતી PI ની પરીક્ષાને લઈને GPSC એ લીધો મોટો નિર્ણય
22 થી 26 એપ્રિલ દરમિયાન એકેડેમીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. જ્યારે 19થી 20 જૂન દરિયાન મુખ્ય પરીક્ષાઓ યોજાશે
Apr 6, 2021, 03:05 PM IST