અતુલ તિવારી/અમદાવાદ :અસાધ્ય રોગથી કંટાળીને અમદાવાદના એક આધેડ વ્યક્તિએ સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. છેલ્લાં 28 વર્ષથી પથારીવશ હોવાથી કંટાળેલા શખ્સે વડાપ્રધાન સુધી ઈચ્છા મૃત્યુ માટે દરવાજા ખખટાવ્યા છે. તેમણે વડાપ્રધાન સહિત તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા લોકો સામે પણ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ : યુદ્ધ કરતા પણ વધુ આકરી છે અહી પાણીની જંગ જીતવી


અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 50 વર્ષીય રવિ નાગર તેમની માતા સાથે રહે છે. તેમની માતા લીલાબેનની ઉંમર 88 વર્ષ છે. વિકાંત છેલ્લા 28 વર્ષથી મોટર ન્યુરો ડિસીઝ નામના રોગથી પીડાઈ રહ્યા છે. આ બીમારી અસાધ્ય પ્રકારની બીમારી ગણાય છે, જેમાં ધીમી ગતિએ શરીરના એક-એક અંગ કામ કરતા બંધ થાય છે. તેમાં લકવાની અસર થાય છે. રવિ નાગર 21 વર્ષની ઉંમરના હતા ત્યારે અચાનક પગની બહેરાશથી શરુ થઈ ગઈ હીત. જેના બાદ તેમના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા છે. આ રોગના કારણે હવે તેમનાં કરોડરજ્જુ ધીરેધીરે કામ કરતા બંધ થઇ ગયા છે. અન્ય કોઈ વ્યક્તિની મદદ વગર રવિ પથારીમાં પડખું પણ ફરી નથી શકતા. 


કાળઝાળ ગરમી બાદ હવે બદલાતા વાતાવરણ માટે પણ તૈયાર રહેજો


મદદે દોડ્યા લોકો 
28 વર્ષથી પથારીવશ રવિ નાગરની ઇચ્છા મૃત્યુની માગનો મામલો હવે લોકો સુધી પહોંચતા અનેક લોકો તેમની મદદે આવ્યા છે. મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલે પણ પોતાના પ્રતિનિધિને તેમના ઘરે મોકલ્યા હતા અને તમામ સરકારી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમના પ્રતિનિધિ નટુ પટેલે જણાવ્યું કે, તેમનું મા કાર્ડ, આયુષમાન કાર્ડ બને તેવું કરીશું. તેથી પરિસ્થિતિનો તાગ મેળવવા હું અહીં પહોંચ્યો છું. તો બીજી તરફ કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખે નાગર પરિવારને 22,000 ની સહાય કરાઈ હતી.