All Eyes On Gondal : ગોંડલમાં આજે કંઈક મોટું થશે, અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચે તે પહેલા વિરોધ
Ganesh Gondal Vs Alpesh Kathiriya : ગોંડલ માટે આજનો દિવસ ‘ભારે’... ગણેશની ચેલેન્જને સ્વીકારી અલ્પેશ કથીરિયા આજે ગોંડલ જશે... માનાં ધાવણ મુદ્દે આરપાર
Trending Photos
Ganesh Gondal Challenge : આજે ગુજરાતના All Eyes On Gondal જેવો માહોલ છે. કારણ કે, ગણેશ ગોંડલના પાટીદાર નેતાઓને પડકાર મુદ્દે માહોલ ગરમાયો છે. આજનો દિવસ ગોંડલ માટે ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા આજે ગોંડલ જશે, પરંતું તે પહેલા જ તેનો વિરોધ થઈ રહ્યો છે.
ગોંડલમાં કંઈક મોટું થશે
ગોંડલના રાજકારણમાં આજે ગરમાવો આવી શકે છે. અલ્પેશ કથીરિયા પોતાની ટીમ સાથે ગોંડલ જશે. ગણેશ ગોંડલે આડકતરી રીતે પાટીદાર નેતાઓને પડકાર ફેંક્યો હતો. અલ્પેશ કથીરિયાને ગોંડલ આવવા પડકાર ફેંક્યો હતો. ગણેશ ગોંડલના પડકાર બાદ ગોંડલ અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે.
ગોંડલમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય
ગોંડલના રાજકારણમાં મેદાન જંગ થવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ ગોંડલે બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઇને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી”... આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. તો બીજી તરફ ગણેશ ગોંડલે જવાબ આપ્યો હતો કે પાટીદાર યુવકોનું સ્વાગત કરાશે.
કથીરિયાનો ગણેશ ગોંડલને જવાબ
પાસ નેતા અલ્પેશ કથીરિયા આજે ગોંડલ જશે. ગોંડલ ખાતે વિવિધ મંદિરો અને સ્થળની મુલાકાત લેશે. ગણેશ ગોંડલના પડકાર બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, લોકો સ્વંયભૂ અમારી સાથે જોડાશે, ગોંડલ કોઈની પેઢી નથી. ગોંડલને સમજવા આવતીકાલે જઈશું, લોકો ભયમુક્ત જીવે તેવા અમારા પ્રયાસ છે.
અલ્પેશ કથીરિયાનો વિરોધ
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાતને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગોંડલના લોકો દ્વારા ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા છે. ગોંડલ પ્રવેશતાની સાથે જ યુવાનો દ્વારા અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો છે. ભગવદ્ ભૂમિ ગોંડલને લાંછન લગાડતા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે વિરોધના બોર્ડ લાગ્યા છે. ગણેશ જાડેજાના સમર્થનમાં પાટીદાર સહિત અને યુવાનો દ્વારા અલ્પેશ કથીરિયાનો વિરોધ થઈ રહ્યો છે. માથે કાળા વાવટા બાંધી અને ફરકાવી વિરોધ કરાયો છે.
ગોંડલમાં રાજકારણમાં ગરમાવો...
પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા અલ્પેશ કથીરિયા ગોંડલ ફરવા આવે તે પહેલાં વિરોધ જોવા મળી રહ્યો છે. રીબડા ખાતે પાટીદાર સમાજના યુવાનો વિરોધ કરવા પહોંચ્યા છે. અલ્પેશ કથીરીયા ગોંડલ પહોંચે તે પહેલા જ વિરોધ જોવા મળ્યો છે. ગોંડલમાં ઠેર ઠેર અલ્પેશ કથીરીયા અને જીગીશા પટેલનો વિરોધ કરાશે. ગણેશ ગોંડલે સુલતાનપુરમાં જાહેર સભામાં અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલને પડકાર ફેંક્યો હતો. જેના બાદ અલ્પેશે ગોંડલ ફરવા આવવાની જાહેરાત કરી હતી.
અલ્પેશ ગોંડલમાં આવીને શું શું કરશે, આ રહ્યું પ્લાનિંગ
આજે ગોંડલ ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વધુ ઘેરો બની શકે છે. ગોંડલ ગણેશની ચેલેન્જને અલ્પેશ કથીરિયાએ સ્વીકારી છે. આજે અલ્પેશ કથીરિયા ગોંડલમાં સવારે 9:30 કલાકે આવી શકે છે. તેમની સાથે ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ પણ આવશે. સૌપ્રથમ ગોંડલ ખાતે આવેલા આશાપુરા મંદિરે તેઓ દર્શન કરવા જશે. ત્યાર બાદ તેઓ અક્ષર મંદિરે પણ દર્શન કરવા જશે. ત્યાર બાદ તેઓ ગોંડલ જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે. ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરશે.
ગોંડલમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય વોરને પગલે ગોંડલ ખાતે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. 500 જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્ત ગોઠવાયા છે. પોલીસના ઉચ્ચ અધિકારી તેમજ પીઆઇપીએસઆઇ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ ગોઠવાયો છે. અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે
ગણેશ ગોંડલે ફેંક્યો હતો પડકાર
થોડા સમય પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. અલ્પેશ કથીરિયા પર પ્રહાર કરતા કહ્યું, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી નથી શક્તી.”
અલ્પેશે સ્વીકાર્યો હતો ગણેશ ગોંડલનો પડકાર
ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યો હતો. આવામાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ હતી. 27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે. તો જ્યારે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ પણ વાયરલ થઈ હતી. ગોંડલને બદનામ કરનાર લોકોનું સ્વાગત કરવા તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ હતી. બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી. જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા. થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે પહેલી વાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ગણેશ જાડેજાના પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલી લીધો છે. અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાની પડકાર ઝીલતા 27 એપ્રિલે ગોંડલ આવવાનું આહવાન કર્યું છે. 27 તારીખે અલ્પેશ કથીરિયા, મેહુલ બોધરા, જિગીશા પટેલે ભવ્ય રેલીનુ આયોજન કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે