)
Ambalal Patel Ni Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નક્ષત્રોના આધારે રાજકીય આગાહીઓ પણ કરતા હોય છે. ત્યારે તેમણે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે તે અંગે આગાહી કરી છે. જે ખતરનાક છે.
અંબાલાલ પટેલની રાજકીય આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી કહે છે કે, હાલ સુર્યકેતુ યોગ ચાલી રહ્યો છે. આ કારણે કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થઈ શકે છે. રાજકીય નેતાઓએ રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે. રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અંધારા પરિણામો આવી શકે છે. દિલ્હી અને ગુજરાતમાં રાજકીય હલન ચલન જોવા મળશે. વિશ્વમાં પણ રાજકીય હલન ચલણ તેજ બનશે.
અંબાલાલની ખેડૂતોને સલાહ
આ સાથે જ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને પણ ચેતવ્યા છે. તેમણે કહ્યું કે, આ વખતે જે વરસાદ થયો છે તે મઘા નક્ષત્રમાં પડ્યો છે જે ખેતી માટે સારો ગણાય છે. મઘા નક્ષત્રમાં વરસાદ ખેડૂત માટે શરૂ ગણાય. મઘા નક્ષત્રના કારણે કૃષિ પાકો નો ઉગાવો સારું થતો હોય છે. ઉભા કૃષિ પાકોમાં ઈયળનો ભારે ઉપદ્રવ મળ્યા છે. ખેડૂત ભાઈઓને સારો પાક હોવા છતાં પાકને મોટું નુકસાન જવાની બીક રહે છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
તેમણે વરસાદના અપડેટ આપતા જણાવ્યું કે, તારીખ 23 થી 26માં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, પૂર્વ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહે છે. તો તારીખ 26 થી 28 માં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો કોઈ કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. 28 તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
તેમણે કહ્યું કે, હાલ મોન્સૂન સિસ્ટમ ઉપર નીચે થઈ રહી છે. સેપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીના આસપાસના દિવસો દરમિયાન પણ વરસાદ વરસી શકે છે. દાંતાના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.