AMC Bulldozer Operation: પહલગામ હુમલા બાદ ગુજરાતમાં ઘૂસણખોરો પર મોટી સ્ટ્રાઈક; મીની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તારમાં ફરી વળશે દાદાનું બુલડોઝર
AMC Bulldozer Operation: ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
Trending Photos
AMC Bulldozer Operation: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ દરેક રાજ્યોના મુખ્યમંત્રી એક્શનમાં છે, ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર મોટી સ્ટ્રાઈક કરી છે. જી હા.. અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા ઘુસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. આ સાથે જ વર્ષોથી ગૂંચવાયેલા પ્રશ્નનો અંત આવવા જઈ રહ્યો છે.
અમદાવાદનું મીની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર થોડીવારમાં જ ફરી વળશે. ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ સહીત દબાણો તોડી પડાશે. પહલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર અત્યંત આક્રમક મૂડમાં આવી ગઈ છે. AMC અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ઓપરેશન ક્લિન ચંડોળા થશે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના 40થી વધુ ડમ્પર , 30 થી વધુ jcb ચંડોળા વિસ્તારમાં મોડીરાતથી તૈનાત કરી દેવામાં આવ્યા છે. Amc ના સાતેય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ એક જ સ્થળે ભેગા ખયા છે. એસ્ટેટ ઉપરાંત ઈજનેર, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેન્જમેન્ટ વિભાગ પણ સક્રિય થઈ ગયું છે.
બીજી બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ચંડોળા તળાવ વિસ્તારમાં 1000 થી વધુ પોલીસ જવાનોને સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ , sog , srp સહિતની એજન્સીઓના સેંકડો પોલીસકર્મી આ ઓપરેશનમાં જોડાયા છે. કોઈપણ સમયે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ થઇ શકે છે. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. બે દિવસ દરમિયાન 890 બાંગ્લાદેશીને ડિટેઇન કર્યા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.
હર્ષ સંઘવીની કાર્યવાહી પર નજર
છેલ્લા 15 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી,કાચા- પાકા મકાનોનું બાંધકામ છે. સૌ પ્રથમ 100 બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ચંડોળા તળાવ વિસ્તાર મોડી રાત સુધી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે