)
કેતન બગડા/અમરેલી: અમરેલીના ચિતલ નજીક આવેલા જશવંત ગઢ ગામ આસપાસ માનવભક્ષી શ્વાન ના એક ટોળાનો આતંક છે.. આ વિસ્તારના ખુંખાર શ્વાન બાળકોને નિશાન બનાવે છે.. ગઈકાલે જશવંત ગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમીક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફેટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જશવંતગઢ માં છેલ્લા એક વર્ષથી વધુ સમય દરમિયાન અનેક બાળકોને શ્વાન દ્વારા ગંભીર રીતે ઈજા પહોચાડી છે.. અને બે બાળકો ને મોત ને ઘાટ ઉતાર્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.. જશવંત ગઢ ગામના જ મૌલિક ભાઈ અસલાલીયા ના બાળકોને પણ આ શ્વાન નિશાન બનાવી ચુક્યા છે.. આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ શ્વાન ના આતંક થી છુટકારો મળતો નથી.
અમરેલીમાં બે વર્ષના બાળકનો શિકાર કરવાનો શ્વાને કર્યો પ્રયાસ; ઘટનાના હચમચાવતા CCTV આવ્યા સામે#Gujarat #Amreli #CCTV #Viral #ViralVideo pic.twitter.com/T1xFWSw4dx
— Zee 24 Kalak (@Zee24Kalak) August 7, 2025
જશવંત ગઢ ગામના કેટલાક લોકો એ એવો દાવો કર્યો હતો કે આ શ્વાન માનવભક્ષી બની ચુક્યા છે.. અને બાળકો ના શિકાર ની ફિરાકમાં જ રહે છે.. બાળકો ને શેરી ગલીમાં રમવ મોકલવા પણ જોખમી બની ગયુ છે... આવા સંજોગોમાં તંત્ર દ્વારા સત્વરે આ શ્વાન ના ત્રાસ માથી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે.