)
Gujarat Politics : ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુરુવારે રાહત મળી હતી. પરંતું ગણતરીના કલાકોમાં જ સુપ્રીમ કોર્ટે તરફથી મોટો ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આપેલ સ્ટે પરત ખેંચાયો છે.
અનિરુદ્ધ સિંહ જાડેજા આજે સરેન્ડર કરવું પડશે
ગોંડલના પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાનો જેલમા હાજર થવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ ગુરુવારે રાતે કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત મળી હતી. SCએ અનિરુદ્ધસિંહને અઠવાડિયાનો સમય આપ્યો હતો. પરંતું ગણતરીના કલાકોમાં જ અનિરુદ્ધસિંહને સુપ્રીમ કોર્ટે આપેલ સ્ટે પરત ખેંચાયો છે. સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા મામલે 7 દિવસની રાહત આપી હતી. પરંતું સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેના બાદ અનિરુદ્ધસિંહને 7 દિવસ અપાયેલ રાહત પરત ખેંચાઈ છ. તેથી અનિરુદ્ધસિંહ જાડેજાને આજે રાત્રે જ 8 વાગ્યા સુધી હાજર થવું પડશે.
ગઈકાલે પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં આજે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરવાના હતા તેવી ખબર દિવસભર ચાલી હતી. હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલ સજા માફી રદ્દ કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર બાદ સરકારી કમિટી દ્વારા સજા માફી અંગે નિર્ણય લેવાનાર હતો.
2018માં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી આપવામાં આવી હતી. મૃતકના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા સજા માફી બાબતે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. 15 ઓગસ્ટ 1988ના રોજ તત્કાલિન ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાની હત્યા કરાઈ હતી. જાહેરમાં ગોળી મારી કરવામાં આવી હતી હત્યા 1997માં આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. 18 વર્ષની સજા ભોગવ્યા બાદ અનિરુદ્ધસિંહને સજા માફી મળી હતી. થોડા મહિના પૂર્વે અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરિયાદ થઈ છે. તેના બાદથી પિતા પુત્ર બંને પોલીસ પકડથી દૂર છે.
શું છે સમગ્ર કિસ્સો
તા. 15 ઓગસ્ટ 1988 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ખકઅ પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. આ સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી. જેની સુનાવણી તારીખ6 ઓગસ્ટ અને બુધવારના રોજ ચાલતા જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એચડી સુથારે માફીના લાભ અંગે સવાલો ઉઠાવી સરકાર અને જેલ સત્તાવાળાના નિર્ણય ની આકરી આલોચના કરી હતી.