)
Air India Plane Crash : એર ઈન્ડિયા પર ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક ફ્લાઈટમાં ખામીઓ આવી રહી છે. ત્યારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઈટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. A159 ફલાઇટ રદ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. ફ્લાઈટ રદ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ગઈ રાત્રે મુંબઈથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી
હજી અમદાવાદ- લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભૂલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઇ. મુંબઈ થી રાત્રે ૧૦:૪૫ વાગે અમદાવાદ માટે ઉપડતી ફ્લાઇટ નં. AI 2919 અંદાજીત ૧ કલાક ૨૫ મીનીટે Gate No. 42B પરથી સ્ટાર્ટ થયેલી, પરંતું રનવે પર પહોંચે તે પહેલા જ પાયલોટે યુ ટર્ન મારી ફ્લાઇટ માં ટેકનીકલ ખામી હોવાનું જાહેર કર્યું. પાર્કિંગ માં પરત લઇ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને જ્યાં સુધી રીપેર ન થાય ત્યાં સુધી આ ફ્લાઇટ જશે નહીં તેવું પાયલોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું. લગભગ એક કલાક પછી પેસેન્જરોની ધીરજ ખુટતા અને રીપેર થાય તો પણ આ ફ્લાઇટ માં નહીં જઇએ તેવો હોબાળો કરતા શરૂઆત માં કડક વલણ અપનાવી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફને પેસેન્જરો સામે ઝુકવું પડેલું.
લાઠીદડનો ચૌહાણ પરિવાર પૂરના પાણીમાં તણાયો, કારમાં સવાર 9 માંથી માત્ર 2 ને બચાવાયા
બીન આધારભૂત માહિતી મુજબ ગત રાત્રે મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ ચાર ફ્લાઇટ માં ટેકનિકલ ખામી બહાર આવેલી. અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવેલો.
ગુરુવારે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાની પરંપરા અનુસાર, જો ફ્લાઇટ નંબરને લગતી કોઈ મોટી દુર્ઘટના થાય છે, તો તે નંબરનો વધુ ઉપયોગ બંધ કરવામાં આવે છે. આ સાથે, એર ઇન્ડિયા એક્સપ્રેસે તેનો ફ્લાઇટ નંબર 'IX-171' પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો કહે છે કે આ ફેરફારને અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.