કુંભના રસ્તે 3 ગુજરાતીઓને કાળ ભરખી ગયો, અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો

Mahakumbh 2025 : અરવલ્લીથી કુંભ મેળામાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને મધ્યપ્રદેશમાં અકસ્માત... 3 લોકોના ઘટનાસ્થળે મોત... ધનસુરા તાલુકાના લાલુકંપા ગામથી કેટલાક શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં દર્શન કરવા નિકળ્યા હતા... જબલપુર પાસે શ્રદ્ધાળુઓની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત

કુંભના રસ્તે 3 ગુજરાતીઓને કાળ ભરખી ગયો, અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો

Accident News : મોટી સંખ્યામાં ગુજરાતીઓ મહાકુંભ તરફ જઈ રહ્યાં છે. ત્યારે કુંભ જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડીને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો તેમાં સવાર 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આ તમામ મુસાફરો અરવલ્લી જિલ્લાના વતની છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના અરવલ્લીના કેટલાક લોકો કુંભમેળામાં જવા નીકળ્યા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલુકંપા ગામના કેટલાક શ્રદ્ધાળુઓ કારમાં સવાર થઈને મહાકુંભ જવા નીકળ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની કારને મધ્ય પ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. 

Add Zee News as a Preferred Source

આ અકસ્માત એચલો ગંભીર હતો કે, કારમાં સવાર 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓની કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news