)
Agriculture News : રાજ્યમાં કમોસમી વરસાદને પગલે પાકને થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતોનો આક્રોશ હવે ઉફાન પર છે. કમોસમી વરસાદના કારણે પાકને થયેલા 80% થી 85% નુકસાન બાદ ખેડૂતોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્રોશ એટલો છે કે, હવે ખેડૂતોની સહાયમાં ઉદ્યોગપતિઓને મળતી મદદ જોડાઈ છે.
ભરૂચમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાક બરબાદ કર્યા: હજારો ખેડૂતો પાયમાલ
ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કમોસમી વરસાદે હજારો ખેડૂતોના તૈયાર પાકને નષ્ટ કરી દીધા, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા. ખેતરો તળાવોમાં ફેરવાયા, અને ખેડૂતોની મહેનત, બીયારણ અને ખાતરનો ખર્ચ ડૂબી ગયો. ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે અને સહાય ન મળે તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી છે.
ભરૂચ જિલ્લાના 9 તાલુકા—ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, આમોદ, વાગરા અને જંબુસરમાં છેલ્લા 15 દિવસથી કમોસમી વરસાદે હજારો એકર જમીનમાં ઘૂંટણસમું પાણી ભરી દીધું. આનાથી કપાસ, શેરડી અને ડાંગર જેવા પાક સંપૂર્ણ બરબાદ થયા. હાંસોટના ખેડૂતો, જેમ કે નોફર પટેલ (દેત્રાલ ગામના સરપંચ) અને કનુભાઈ પટેલે જણાવ્યું, "અમારી મહેનત અને ખર્ચ બધું વ્યર્થ ગયું. ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, અને હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે."ખેડૂતોની મહેનત ડૂબી છે. ખેડૂતોએ ત્રણ-ત્રણ વખત બીયારણ વાવ્યું, ખાતર અને મજૂરીમાં હજારો રૂપિયા ખર્ચ્યા, અને પોતાનો પરસેવો રેડીને પાક તૈયાર કર્યો. પરંતુ કમોસમી વરસાદે આ બધું નાશ કરી દીધું.
હાંસોટમાં ખેડૂતોએ ડાંગરના પાકને બચાવવા રોડ પર પાથરીને સૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત વરસાદે તે પણ નિષ્ફળ કર્યું. હિંગલોટ ગામના એક ખેડૂતે જણાવ્યું, "અમારો પાક ગયો, અને હવે અમે આર્થિક રીતે તૂટી ગયા છીએ."
નર્મદા નદીની અસરચોમાસા દરમિયાન નર્મદા નદીમાં પાણી છોડવાથી નદીકાંઠાના ખેડૂતો પહેલેથી જ પીડાયા હતા. ચોમાસું પૂર્ણ થયા બાદ કમોસમી વરસાદે વધુ નુકસાન કર્યું, જેના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની મહેનત અને આર્થિક રોકાણ પાણીમાં ડૂબી ગયા. વળતરની માંગખેડૂતોએ સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાયની માંગ કરી છે. સરકારે નુકસાની વળતર માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ ઘણા ખેડૂતો માટે આ પ્રક્રિયા જટિલ છે.
ખેડૂતોએ કહ્યું, "જો ઉદ્યોગોનું દેવું માફ થઈ શકે, તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં?" ચૂંટણીની ચીમકીનિરાશ ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની સહાયની માંગ પૂરી નહીં થાય, તો આગામી ચૂંટણીમાં તેઓ પોતાનો પરચો બતાવશે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું કે તેમણે મુખ્યમંત્રીને ખેડૂતોની સહાય માટે રજૂઆત કરી છે.
ખેડૂત વર્ગને સહકાર આપો, ઋષિ અને કૃષિ નારાજ હોય તો દેશનું ઉત્થાન અશક્ય
બીલખાના ચેલૈયા ધામના રામ સ્વરૂપદાસજી બાપુએ પણ કહ્યું કે, અતિવૃષ્ટિના કારણે ખેડૂત ભાઈઓ પાયમાલ થયા છે. પાકને ભારે નુકસાન થયું છે. રામ સ્વરૂપદાસજી બાપુએ સરકારને આગ્રહ કર્યો કે, ખેડૂતોને તરત સહાય મળી રહે. ખેડૂતોના બાળકોના શિક્ષણમાં અડચણ ન આવે, જરૂરી હોય તો નિશુલ્ક શિક્ષણ અપાય. આ ઋષિઓનો દેશ છે અને કૃષિનો દેશ છે. સાધુ–સંતો હંમેશા સમાજની સાથે ઊભા છે. આમ, રામ સ્વરૂપદાસજી બાપુએ બતાવ્યો ધાર્મિક દ્રષ્ટિકોણ બતાવ્યો. તેમણેજાતિ-પાતની પાર સહકારની અપીલ કરી કે, દરેક ખેડૂતને સહયોગ આપવો જોઈએ. ઋષિ અને કૃષિ નારાજ હોય તે દેશનું ઉત્થાન ક્યારેય થઈ શકતું નથી.
તો ખાખીમઢીના મહંત સુખરામદાસબાપુએ કહ્યું કે, ધરતીપુત્રોને બચાવો, ઉદ્યોગપતિઓને પછી જુઓ. ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુની રાજ્ય સરકારને અપીલ કરી કે, ભારે વરસાદથી ખેડૂતોએ ભારે નુકસાન સહન કર્યું. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક બરબાદ થયા છે. સરકારને તાત્કાલિક સર્વે અને વળતર આપવા વિનંતી છે. ઉદ્યોગમાંથી પૈસા મળે, પરંતુ ધરતીપુત્રો જ અન્ન આપે. તેમણે ખેડૂતોના ખાતામાં સીધું વળતર જમા કરવાની પ્રક્રિયા અપનાવવાની માંગ કરી. સોશિયલ મીડિયા અને ટેકનોલોજી દ્વારા પારદર્શક સર્વે કરવાની ભલામણ કરી. તેમણે કહ્યું કે, ધરતીપુત્રોના હિતમાં ઝડપી પગલાં ભરવાનો સમય આવી ગયો છે. અત્યારે ધરતીપુત્ર હેરાન છે, સરકારે મદદ માટે હાથ લંબાવવો જોઈએ.
પોરબંદર સહિત રાજ્યભરમાં પડેલ કમોસમી વરસાદના પગલે ખેડુતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારે તૈયાર થઈને ખેતરમાં પળેલો પાક પલળી જતા ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ખેડૂતોને આશા હતી કે બચેલો 30-40 ટકા જેટલો પાક હાથમાં આવશે. પરંતુ ગત રાત્રીના પોરબંદર જિલ્લામાં સરેરાશ 1 ઈંચથી માંડીને 5 ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા ખેડુતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.પાણી ભરાયેલા ખેતરમાં મગફળીના પાથરા ડુબેલા જોવા મળ્યા હતા,તો કોઈ જગ્યાએ ચોમાસા સમાન પાણીના ધસમસતા પ્રવાહમાં મગફળીનો પાક તણાયેલો જોવા મળ્યો હતો.