ભાવનગરના ખેડૂતે 70 વીધા બંજર જમીનમાં સોનુ ઉગવ્યું, થઈ લાખોની કમાણી

રાસાયણિક ખાતરની તંગી વચ્ચે ઓર્ગેનિક ખાતર જીવમૃતનો ઉપયોગ કરીને પણ ખેતીને સમૃદ્ધ કરી શકાય છે એ વાતને ભાવનગરના ખેડૂતે સિદ્ધ કરી બતાવ્યું છે. એક પણ જાતના રાસાયણિક ખાતરના ઉપયોગ વગર માત્ર ગૌવંશના છાણ, ગૌમૂત્ર, ગોળ અને અન્ય સંપૂર્ણ દેશી વસ્તુઓ ભેગી કરી બનાવેલા જીવામૃતના ઉપયોગથી ૭૦ વિઘા બંજર જમીનમાં વિવિધ ખેત પેદાશો દ્વારા વર્ષે લાખો રૂપિયાનો નફો મેળવતા ખેડૂતે રાસાયણિક ખાતર પાછળ ઘેલા બનેલા ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
ભાવનગરના ખેડૂતે 70 વીધા બંજર જમીનમાં સોનુ ઉગવ્યું, થઈ લાખોની કમાણી

નવનીત દલવાડી/ભાવનગર :રાસાયણિક ખાતરની તંગી વચ્ચે ઓર્ગેનિક ખાતર જીવમૃતનો ઉપયોગ કરીને પણ ખેતીને સમૃદ્ધ કરી શકાય છે એ વાતને ભાવનગરના ખેડૂતે સિદ્ધ કરી બતાવ્યું છે. એક પણ જાતના રાસાયણિક ખાતરના ઉપયોગ વગર માત્ર ગૌવંશના છાણ, ગૌમૂત્ર, ગોળ અને અન્ય સંપૂર્ણ દેશી વસ્તુઓ ભેગી કરી બનાવેલા જીવામૃતના ઉપયોગથી ૭૦ વિઘા બંજર જમીનમાં વિવિધ ખેત પેદાશો દ્વારા વર્ષે લાખો રૂપિયાનો નફો મેળવતા ખેડૂતે રાસાયણિક ખાતર પાછળ ઘેલા બનેલા ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

અમદાવાદનો દિલધડક કિસ્સો, મોટી ઉંમરે સંતાન થતા લોકો શું બોલશે એ બીકે દંપતી બાળકીને હોસ્પિટલમાં મૂકીને ફરાર થયું

ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના ખેડૂત હરદેવસિંહ ગોહિલનો પરિવાર વર્ષો પહેલા પોતાની 70 વિઘા બંજર બનેલી જમીન ખેતી છોડી ભાવનગરમાં સ્થાયી થયો હતો. માત્ર ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરી કમિશન એજન્ટ તરીકે ધંધો શરૂ કરનાર હરદેવસિંહ વર્ષે ૮ થી ૧૦ લાખ રૂપિયા કમાઈ લેતા હતા. પરંતુ ગૌવંશ પ્રત્યેના લગાવના કારણે અને તેને બચાવવાના પ્રયત્નો માટે તેઓએ પોતાનો કમિશનનો ધંધો બંધ કરી 2008 માં મોરચંદ ગામે આવેલ પોતાની 70 વીઘા બંજર જમીનમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે. પણ બંજર બનેલી જમીનને ફળદ્રુપ બનાવવા પાણીની જરૂર પડે અને કુવાના તળ નીચા જતા રહ્યા હતા. એટલે પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન એમના માટે વિકટ બની ગયો હતો. "મન હોય તો માળવે જવાય" એ કહેવતને તેમણે ચરિતાર્થ કરી બતાવી. પોતાની 70 વિઘા જમીનમાંથી 1 વીઘા જમીનમાં એક ટ્રેક્ટર અને 8 મજૂરોની મદદથી ખેત તલાવડીનું નિર્માણ કર્યું અને સારો વરસાદ થતાં તલાવડી ભરાઈ ગઈ. ત્યારે ગૌવંશના ગોબર, ગૌમૂત્ર, ગોળ અને અન્ય દેશી વસ્તુઓના ઉપયોગથી જીવામૃત બનાવ્યું અને ખેતીની શરૂઆત કરી. ધીમે ધીમે ખેતી સમૃદ્ધ થતી ગઈ એમ ખેત તલાવડીનો વ્યાપ પણ વધારતા ગયા. આજે તેમની વાડીની 5 વીઘા જમીનમાં બનેલી ખેત તલાવડીમાં ભરપૂર પાણી ભર્યું છે, જેના કારણે પોતાના કૂવા સાથે આજુબાજુના 50થી વધુ ખેડૂતોની વાડીમાં આવેલ કુવાના તળ પણ ઊંચા આવ્યા છે. જેના કારણે પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે. તેમજ ઓર્ગેનિક ખેતી પણ વધુને વધુ સમૃદ્ધ બનતા વર્ષે 25 લાખથી વધુ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી રહ્યા છે.

રાસાયણિક ખાતરના બદલે ગોબર, ગૌમૂત્ર અને ગોળ દવા બનાવેલ જીવામૃત નો ઉપયોગ કરી ખેતી શરૂ કરનાર આ ખેડૂતને આજુબાજુના ખેડૂતોએ ઘણું સમજાવ્યા હતા કે, રાસાયણિક ખાતર વગર ખેતી શક્ય જ નથી. પરંતુ તેઓએ પોતાનો પ્રયાસ ચાલુ રાખ્યો, અને એક પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર દેશી ખાતર અને જીવામૃત થકી વિવિધ પ્રકારના પાક લેવાનું ચાલુ કર્યું. જેથી હાલ શાકભાજી, કઠોળ, અનાજ, મગફળી, શેરડી અને કપાસ જેવા પાકો લહેરાઈ રહ્યા છે. સાથે ઓર્ગેનિક ખેત પેદાશોની માંગ વધતા વાડીમાં પાકતી તમામ પેદાશો વાડીમાં જ વેચાઈ જાય છે, તેને વેચવા બહાર નથી જવું પડતું. જેના કારણે તેમને વર્ષે લાખો રૂપિયાનો નફો થઈ રહ્યો છે. ત્યારે આજે સમય એવો આવ્યો છે કે, અન્ય ખેડૂતો પણ તેમની વાડીને જોવા મુલાકાતે આવતા થયા છે અને જેઓને આવકાર સાથે સારું માર્ગદર્શન પણ તેઓ પૂરુ પાડી રહ્યા છે.

આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ

ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી, કઠોળ અને અનાજની માંગ ખૂબ જ વધી રહી છે, ત્યારે તેના ખૂબ જ સારા ભાવો પણ મળી રહ્યાં છે. જ્યારે જીવામૃતના ઉપયોગથી કપાસમાં પણ સારું ઉત્પાદન મળી રહ્યું છે. વાડીમાં ઉગેલી મગફળીનું તેલ પણ તેઓ વાડીમાંજ કઢાવડાવે છે, જે 15 કિલો સીંગતેલનો ડબ્બો રૂપિયા ૩ હજારના ભાવે વેચાઈ જાય છે, જ્યારે વાડીમાં ઉગતી 2 પ્રકારની શેરડીમાંથી લાલ શેરડીનો તેઓ પોતાની વાડીમાં જ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક ગોળ બનાવડાવે છે. જે 70 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે જીવામૃત બનાવ્યા બાદ વધેલા વેસ્ટને પણ તેઓ ફેંકી નથી દેતા. તેમાંથી છાણના કુંડા બનાવી તેનું પણ વેચાણ કરી રહ્યા છે, જેથી તેઓને વર્ષે રૂપિયા 25 લાખથી પણ વધુની
કમાણી થઈ રહી છે. હરદેવસિંહનું કહેવું છે કે, ખેડૂત ધારે તો બીજા કોઈપણ ધંધા કરતા ખેતી માંથી જ સૌથી વધુ કમાણી કરી શકાય છે.

સમગ્ર ગુજરાતમાં હાલમાં યુરિયા ખાતરની ખૂબ જ તંગી વર્તાઈ રહી છે, ખેડૂતોને પૂરતુ ખાતર પણ મળતું નથી. તેમજ અલગ અલગ રાસાયણિક ખાતર પાછળ ખેડૂતોને વર્ષે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે. જ્યારે જીવામૃત પાછળ વર્ષે માત્ર 20 હજાર રૂપિયા ખર્ચ થાય છે, જેથી ખેડૂતોની નફાની રકમની પણ બચત થાય છે, તેમજ રાસાયણિક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને સારા બેક્ટેરિયા અને કીટકોનો પણ નાશ થઈ જાય છે. તો બીજી તરફ રાસાયણિક ખાતરનો ઉપયોગ માનવ માટે પણ અત્યંત હાનિકારક સાબિત થઈ રહ્યો છે, એવામાં મોરચંદ ગામના ખેડૂત હરદેવસિંહ દ્વારા ગોબર, ગૌમૂત્ર અને ગોળના મિશ્રણથી બનાવાયેલ જીવામૃત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની શકે છે, દેશી પદ્ધતિથી બનેલા જીવામૃતથી જમીન, માનવી અને કીટક ને માત્ર ફાયદો જ થાય છે, તેમજ ઓછા ખર્ચે સારો નફો પણ મેળવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news