પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામનારા શૈલેષ કળથિયાનો મૃતદેહ વતન લવાયો, રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહનો અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.
Trending Photos
Pahalgam Terror Attack: સુરતના યુવકનો મૃતદેહ ફ્લાઇટમાં સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો છે. સુરતના એક મૃતક પ્રવાસી સાથે તેમના અન્ય છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. શૈલેષ કળથિયાનો મૃતદેહ સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી પાર્થિવ દેહને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા આંતકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જેમાં જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓના પણ મોત નિપજ્યાં હતા. ત્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહોને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. ભાવનગરના બે મૃતકોના મૃતદેહોને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં મંત્રીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બન્નેના મૃતદેહોને રોડ માર્ગે ભાવનગર લઈ જવામાં આવ્યા છે.
ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી જોડાશે
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોમાં યિતેશ અને સ્મિત પરમારના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે અને યુવકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જવા રવાના થયા છે, ત્યારે પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્રની આવતીકાલે ગુરુવારે અંતિમ યાત્રા નીકળશે. મૃતકોના પરિવારજનોને મળીને સાત્વના પણ પાઠવશે. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં હાજર રહેશે. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજર રહેશે. આજે પ્રફુલ પાનસેરિયા અને સીઆર પાટીલે મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
જમ્મુ કાશ્મીર હુમલાના મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ભોગ બનનારા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકાર મૃૃતકોના પરિવાજનોને 5-5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50000 રૂપિયાની સહાય કરશે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારોની પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઉભી છે.
રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 23, 2025
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે