ગુજરાતમાં એક્શન મોડમાં કાર્યવાહી, રાજકોટ અને મોરબીમાં ચાલ્યું તંત્રનું બુલડોઝર
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં અસામાજિક તત્વો સામે એક્શન મોડમાં કાર્યવાહી ચાલી રહી છે, એક એક અપરાધીના ઘરે દાદાનું બુલડોઝર પહોંચી રહ્યું છે અને કાળી કમાણીથી ઉભા કરાયેલા તેના સામ્રાજ્યને માટીમાં મિલાવી દેવાનું કામ થઈ રહ્યું છે...સામાન્ય લોકોને રંઝાળી ઉભી કરાયેલી મિલકતો જમીનદોસ્ત થઈ રહી છે...તો ક્યાંક ગેરકાયદે બાંધકામ સામે પણ એક્શન લેવામાં આવી રહ્યા છે...ત્યારે જુઓ બુલડોઝર એક્શનનો આ ખાસ અહેવાલ....
જો ગુનો કર્યો તો આવી દશા થશે...જો ગુનાખોરી ન છોડી તો મિલકતો જમીન પર નહીં રહે...જો નહીં સુધર્યા તો સુધારવા આવી પહોંચશે દાદાનું બુલડોઝર. જ્યાં ગુનાની દુનિયાના એક ગુનેગારના ઘરે દાદાનું બુલડોઝર પહોંચી ગયું...સરકારી જમીન પર પોતાની ગુનાની દુનિયાથી ઉભી કરેલી તેની મિલકત જમીનદોસ્ત કરી દેવામાં આવી...બુલડોઝરે એવો પ્રહાર કર્યો કે વર્ષોથી અડિખમ મિલકત ભોંય ભેગી થઈ ગઈ...કાળી કમાણીથી ઉભો કરેલો તબેલો અને ગુનેગારનું ઘર સાફ કરી દેવામાં આવ્યું.
કાળી કમાણી પર એક્શન
ગેરકાયદે મિલકત પર કાર્યવાહી
ગુનેગારના ઘરે બુલડોઝર
ગરજ્યું 'દાદાનું બુલડોઝર'
ગુનો કર્યો તો થશે આવી દશા!
તબેલો અને ઘર તોડી પડાયું
એક તરફ રાજકોટમાં ગુનેગાર સલીમ કાસમ માણેકની મિલકતો તોડી પડાઈ તો...જ્યાં પણ ગેરકાયદે મિલકતો ઉભી કરાઈ છે, જ્યાં પણ સરકારી જમીન પર દબાણ થયું છે તેને દૂર કરવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.. તો મોરબી શહેરમાં પણ જે દબાણો તોડવામાં આવી રહ્યા છે તે સરકારી જમીન પર બંધાયેલા છે...અને ટ્રાફિકને નોંતરનારા છે...અનેક વખત નોટિસ આપી છતાં પણ દબાણો દૂર કરવા માટે લોકો રાજી ન થતાં હવે બુલડોઝર એક્શન લેવામાં આવ્યા....મોરબી મહાનગરપાલિકા બનતાં હવે બુલડોઝર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે...છેલ્લા ચાર મહિનામાં મુખ્ય માર્ગો પરથી કાચા-પાકા 600થી વધારે દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ કામગીરી ચાલુ જ રહેશે તેવી વાત મહાનગરપાલિકા કમિશનરે કરી છે..
દબાણો પર કાર્યવાહી
સરકારી જમીન પર દબાણ
તંત્રએ તોડ્યા મકાન
ગેરકાયદે બાંધકામ પર એક્શન
એક્શન મોડમાં કાર્યવાહી
મોરબીમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદે બાંધકામ કરનારા અનેક લોકો મિલકતો તોડી પાડવામાં આવી છે. મોટા પ્રમાણમાં સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે...બીજી તરફ રાજ્યમાં અસામાજિક તત્વો માટે ખરાબ દિવસો યથાવત્ છે...પોલીસ અને વહીવટી તંત્ર વીણી વીણીને આવા તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે. અસામાજિક તત્વોના ગેરકાયદે આસિયાના તુટી રહ્યા છે, મિલકતો જમીનદોસ્ત થઈ રહી છે અને આ કાર્યવાહી હજુ પણ યથાવત જ રહેવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે