એક સમયે અમદાવાદની શાન ગણાતું ચંડોળા તળાવ, કઈ રીતે બન્યું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો, જાણો દરેક માહિતી

યાત્રાધામ દ્વારકામાં દાદાના બુલડોઝરે રાત દિવસ એક કરીને ગેરકાયદે દબાણોને ધ્વસ્ત કરી દીધા. ત્યારે હવે દાદાનું બુલડોઝર દ્વારકાથી અમદાવાદમાં આવી ગયું છે. અને અમદાવાદમાં શરૂ થયું ઓપરેશન ક્લીન ચંડોળા.... 

એક સમયે અમદાવાદની શાન ગણાતું ચંડોળા તળાવ, કઈ રીતે બન્યું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો, જાણો દરેક માહિતી

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના લોકોમાં ભારે આક્રોશ છે. સરકાર પણ આકરા પગલા લઈને પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોને તેમના ઘર ભેગા કરી રહી છે.  ત્યારે અમદાવાના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવ પાસેના 1200 હેક્ટર જેટલા વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવેલા અનેક મુસ્લિમોએ વસાહત કરી. આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહેવા લાગ્યા. ધીમે ધીમે ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ વધવા લાગી છે. હાલની સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશી સહિતના લોકોએ ગેરકાયેદ બાંધકામો કરીને જાણે ચંડોળા તળાવને ઘેરી લીધું છે.  

હાલ દેશમાં વસતાં ગેરકાયદે લોકો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે દાદાની સરકારે પણ શરૂ કરી દીધુ ઓપરેશન ક્લીન ચંડોળા. વહેલી સવારથી જ પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે 40થી વધુ ટ્રક અને 30થી વધુ બુલડોઝરનો કાફલો ચંડોળા તળાવ પહોંચ્યો અને એક બાદ એક ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરાયા...

ચંડોળામાં અનેક ગેરકાયદે લોકો રહેતા હતા. જેમને પોલીસે પહેલાં જ પકડી પાડ્યા છે. ત્યાર બાદ બુલડોઝર એકશનથી ગેરકાયદે મકાનોને તોડી પડાયા છે. ડિમોલીશનની કામગીરી સમયે 2 હજારથી વધુ પોલીસ પણ હાજર રહી જેમાં ક્રાઈમ બ્રાંચ સહિતના અધિકારીઓએ ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું. મકાનોના તાળા તોડ્યા, ઘરમાં ચેકિંગ કર્યુ અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ પણ કરાઈ. 

અમદાવાદ ચંડોળા ઈતિહાસ
ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે, જે શહેરના શાહ આલમ વિસ્તારમાં આવેલા આ તળાવનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ છે, જે અમદાવાદના સ્થાપના અને વિકાસ સાથે જોડાયેલો છે...ચંડોળા તળાવની સ્થાપના તો ખુબ જ સારા ઉદ્દેશ સાથે થઈ હતી પરંતુ ધીરે ધીરે તે દબાણનો અડ્ડો બન્યું અને આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ટોક ઓફ ટાઉન બનેલું છે. ત્યારે આવો ચંડોળા તળાવના ઐતિહાસિક ઈતિહાસમાં ગ્રાફિક્સના માધ્યમથી ડોકીયું કરી લઈએ. 

જાણી લો ચંડોળા તળાવનો ઈતિહાસ 
અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો
આશાવલના સમયે સિંચાઈ, પાણીના સંગ્રહ માટે મહત્વનું હતું
ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું 
અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો
મુગલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો 
બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા થયો 
બ્રિટિશ કાળમાં તળાવની જાણવણી ન થઈ, જમીન પર બાંધકામો થયા
1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો 
1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની 
1970-80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધ્યું
અત્યારે હાલ પર તળાવ પર મોટા પાયે થયેલું છે દબાણ

ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના ચંડોળા તળાવમાં 1970-1980ના દાયકાથી જ સ્થળાંતર અને વસાહતો શરૂ અને ધીરે ધીરે ગેરકાયદે દબાણો થવા લાગ્યા....આજે એક અંદાજ મુજબ સવા લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે બાંધકામો બની ગયા છે. આ દબાણોને કારણે સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન ગયું છે...ત્યારે અતિક્રમણની ટાઈમલાઈનને સમજીએ..

અતિક્રમણની ટાઈમલાઈન 
1970 અને 1980ના દાયકામાં સ્થળાંતર અને વસાહત શરૂ થઈ
2002 પછી NGOએ 'સિયાસત નગર' નામની રાહત શિબિર બનાવી 
2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો 
2009માં તંત્રએ ભૂલથી રાહત શિબિરના વિસ્તારને તોડી પાડ્યો 
2010માં હુલ્લડ વળતર અરજીમાં પુનર્જનન દાખલ કરવામાં આવ્યું
2011માં કોર્ટે વળતર આપવાનો આદેશ આપ્યો
2011ના આદેશમાં દબાણ હટાવવા પર કોર્ટે કોઈ ટિપ્પણી ન કરી 
2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂ થયું
2010 પછીથી ચંડાળો તળાવની આસપાસ મોટા પાયે દબાણો થયા 
અત્યારે હાલ અંદાજિત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ
જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન

અમદાવાદનું ચંડોળા તળાવ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ટોક ઓફ ટાઉન રહ્યું છે. તળાવમાં થયેલા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂષણખોરોના આશ્રયસ્થાનને કારણે તે ચર્ચામાં રહે છે. ત્યારે આ એક્શન જરૂરી કેમ તે તમે સમજી લો....

એક્શન જરૂરી કેમ?
બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત 
જમીન ગેરકાયદે પચાવી 
માનવ તસ્કરી
નકલી દસ્તાવેજો

અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. દમદાર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી ખુબ જ જરૂરી હતી. કારણ કે તળાવની આસપાસ મોટા પાયે અતિક્રમણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે....ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કાર્યવાહીની જરૂર કેમ પડી?, પોલીસના ચોપડે નોંધાયેલા કેટલાક ગુના અને ચોંકાવનારા ખુલાસાને જાણીએ....

કેસ-1 (નકલી દસ્તાવેજ)    
બાંગ્લાદેશી મોહમ્મદ ફારૂક કરીમ મોન્ડલની ધરપકડ કરાઈ
મોન્ડલની પત્ની ફૈમાની પણ ધરપકડ કરવામાં
મોન્ડલ દંપતીએ નકલી આધાર, પાન અને ચૂંટણી કાર્ડ બનાવ્યા 
IPCની કલમ 465, 467, 471 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
મેહુલ કશ્યપ નામના વધુ એક આરોપીની પણ ધરપકડ કરાઈ
મેહુલ કશ્યમે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરી 
200થી વધુ શંકાસ્પદ નકલી દસ્તાવેજોની ઓળખ કરવામાં આવી
    
કેસ-2 (વેશ્યાવૃત્તિની પ્રવૃતિ)
મોહમ્મદ ફારૂક મોન્ડલે 2 બાંગ્લાદેશી છોકરીઓને બોર્ડર પાર કરાવી
નાની છોકરીઓને તેમની માતા સાથે બોર્ડર પાર કરવવામાં મદદ કરી
બન્ને છોકરીઓને સાગર મોન્ડલને સોંપી દીધી હતી
સાગરે આ નાની છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી
ક્રાઈમબ્રાન્ચે સ્થળ પર દરોડા પાડીને આ નાની છોકરીઓને બચાવી
આરોપી સાગર મોન્ડલની ધરપકડ કરવામાં આવી હતી
વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિમાં 100થી વધુ મહિલાઓની ઓળખ કરાઈ
વેશ્યાવૃત્તિની કરતી મહિલાઓ બાંગ્લાદેશમાં પૈસા મોકલે છે
    
કેસ-3 (લેન્ડ ગ્રેબિંગ)        
ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા 
મોટા પાયે બાંગ્લાદેશીઓ ગેરકાયદે જમીન હડપ કરી 
સ્થાનિક મુસ્લિમોએ તળાવને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બનાવ્યો 

અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવની આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર 14 વર્ષમાં જ તળાવનો આખો નકશો બદલાઈ ગયો. ટીવી સ્ક્રીન પર દેખાતી આ બે ઈમેજ તમે જોઈ શકો છો...પહેલી ઈમેજ જે વર્ષ 2010ની છે, જેમાં હરિયાળી અને તળાવની જળસંગ્રહ ક્ષમતા વધારે જોઈ શકાય છે...પરંતુ બીજી ઈમેજ જુઓ, આ ઈમેજ વર્ષ 2024ની છે...જેમાં કેસરી રંગની જે બોર્ડર કરેલી છે તે બધુ જ ગેરકાયદે દબાણ છે. તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news