14 વર્ષમાં ઐતિહાસિક ચંડોળા તળાવનો કેવી રીતે બદલાઈ ગયો નકશો? જાણો 2010ની સરખામણીએ 2024ની સ્થિતિ!

AMC Bulldozer Operation: અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. દમદાર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી ખુબ જ જરૂરી હતી. કારણ કે તળાવની આસપાસ મોટા પાયે અતિક્રમણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે મનમાં એક સવાલ ઉભો થાય છે કે કાર્યવાહીની જરૂર કેમ પડી? પોલીસના ચોપડે નોંધાયેલા કેટલાક ગુના અને ચોંકાવનારા ખુલાસાને જાણીએ.

14 વર્ષમાં ઐતિહાસિક ચંડોળા તળાવનો કેવી રીતે બદલાઈ ગયો નકશો? જાણો 2010ની સરખામણીએ 2024ની સ્થિતિ!

AMC Bulldozer Operation: અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવની આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર 14 વર્ષમાં જ તળાવનો આખો નકશો બદલાઈ ગયો. તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.  ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હોવાનો ખુલાસો અનેક વાર થઈ ચૂક્યો છે. મોટા પાયે બાંગ્લાદેશીઓ ગેરકાયદે જમીન હડપ કરી છે. સ્થાનિક મુસ્લિમોએ તળાવને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બનાવ્યો છે.

એક સમયે અમદાવાદની શાન કહેવાતું ચંડોળા તળાવ હાલ બાંગ્લાદેશી ઘૂષણખોરોનું સૌથી મોટું આશ્રયસ્થાન બની ગયું છે. તળાવનું જે ખરેખર મહત્વ હતું તેને ભૂસી નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગેરકાયદે જે દબાણો થયા તેના કારણે તળાવની અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. માત્ર 14 વર્ષમાં ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું છે, જે ગેરકાયદે છે. તળાવનું કદ ઝડપથી ઘટી રહ્યું છે, અને તેની અંદર પાકાં મકાનો, મસ્જિદ અને નાની ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે. 2021ના લોકડાઉન દરમિયાન તો અતિક્રમણમાં ઝડપી વધારો થયો. વસ્તીની ગીચતા પણ ખૂબ ઝડપથી વધી, જેના કારણે તળાવનું ઇકોલોજીકલ અને ઐતિહાસિક મહત્વ ખતરામાં આવી ગયું છે.

નરેન્દ્ર મોદી જ્યારે CM હતા ત્યારે પણ ચંડોળામાં મોટી કાર્યવાહી થઈ હતી
ZEE 24 કલાક પર ડિમોલિશન મામલે મોટી ખબર સામે આવી છે. કેબિનેટ કમિટી ઓફ સિકયુરિટીની બેઠકમાં ડિમેલિશન અંગે આ નિર્ણય લેવાયો છે. રાજ્યોમાં ઘુષણખોરીને રોકવા માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. ગુજરાતમાં અમદાવાદમાં ચંડોળા ઘુષણખોરોનો ગઢ મનાય છે. બેઠકમાં ઘુષણખોરોએ કરેલા દબાણો હટાવવા નિર્ણય લેવાયો હતો. વર્ષ 2010માં પણ આ જ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી થઈ હતી. નરેન્દ્ર મોદી જ્યારે CM હતા ત્યારે પણ ચંડોળામાં મોટી કાર્યવાહી થઈ હતી. આ મામલાઓ કોર્ટમાં જતા કાર્યવાહી અટકી ગઈ હતી. કોર્ટે વિવિધ સ્ટે આપતા દબાણની કાર્યવાહી અટકી હતી. ત્યારબાદ સ્ટે મળતા વર્ષો સુધી દબાણો થતા રહ્યા હતા. ફરી અક વાર સ્ટે હટતા 2025માં મોટી કાર્યવાહી શરૂ થઈ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 29, 2025

અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવ પર કાર્યવાહીની જરૂર કેમ?

નકલી દસ્તાવેજ
બાંગ્લાદેશી મોહમ્મદ ફારૂક કરીમ મોન્ડલની ધરપકડ કરાઈ છે. મોન્ડલની પત્ની ફૈમાની પણ ધરપકડ કરવામાં આવી છે. મોન્ડલ દંપતીએ નકલી આધાર, પાન અને ચૂંટણી કાર્ડ બનાવ્યા હોવાની વાત સામે આવી છે. IPCની કલમ 465, 467, 471 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મેહુલ કશ્યપ નામના વધુ એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. મેહુલ કશ્યમે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ નકલી દસ્તાવેજોની ઓળખ કરવામાં આવી આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 29, 2025

વેશ્યાવૃત્તિની પ્રવૃતિ
મોહમ્મદ ફારૂક મોન્ડલે 2 બાંગ્લાદેશી છોકરીઓને બોર્ડર પાર કરાવી હોવાનો ખુલાસો થયો છે. નાની છોકરીઓને તેમની માતા સાથે બોર્ડર પાર કરવવામાં મદદ કરી હતી. બન્ને છોકરીઓને સાગર મોન્ડલને સોંપી દીધી હતી. સાગરે આ નાની છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી. ક્રાઈમબ્રાન્ચે સ્થળ પર દરોડા પાડીને આ નાની છોકરીઓને બચાવી લીધી છે. આરોપી સાગર મોન્ડલની ધરપકડ કરવામાં આવી હતી. વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિમાં 100થી વધુ મહિલાઓની ઓળખ  કરાઈ છે. વેશ્યાવૃત્તિની કરતી મહિલાઓ બાંગ્લાદેશમાં પૈસા મોકલે છે. 

ચંડોળામાં દબાણનું સચોટ સત્ય

  • વર્ષ-2010 
  • તળાવ A- 6,36,730.85 ચોરસ મીટર
  • તળાવ B- 99,613.76 ચોરસ મીટર
  •  તળાવ C- 1,42,079.07 ચોરસ મીટર
  • કુલ- 8,78,423 ચોરસ મીટર

ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે, જે શહેરના શાહ આલમ વિસ્તારમાં આવેલા આ તળાવનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ છે, જે અમદાવાદના સ્થાપના અને વિકાસ સાથે જોડાયેલો છે. ચંડોળા તળાવની સ્થાપના તો ખુબ જ સારા ઉદ્દેશ સાથે થઈ હતી પરંતુ ધીરે ધીરે તે દબાણનો અડ્ડો બન્યું અને આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ટોક ઓફ ટાઉન બનેલું છે. ત્યારે આવો ચંડોળા તળાવના ઐતિહાસિક ઈતિહાસમાં ગ્રાફિક્સના માધ્યમથી ડોકીયું કરી લઈએ. 

જાણી લો ચંડોળા તળાવનો ઈતિહાસ
અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો. આશાવલના સમયે સિંચાઈ, પાણીના સંગ્રહ માટે મહત્વનું હતું. ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું. અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો હતો. મુગલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો હતો. બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા માટે આ તળાવનો ઉપયોગ થયો હતો. બ્રિટિશ કાળમાં તળાવની જાળવણી ન થઈ અને જમીન પર બાંધકામો થયા હતા. 1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો હતો. 1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની ગઈ. 1970-80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધ્યું. અત્યારે હાલ પર તળાવ પર મોટા પાયે દબાણ થયેલું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 29, 2025

ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના ચંડોળા તળાવમાં 1970-1980ના દાયકાથી જ સ્થળાંતર અને વસાહતો શરૂ અને ધીરે ધીરે ગેરકાયદે દબાણો થવા લાગ્યા. આજે એક અંદાજ મુજબ સવા લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે બાંધકામો બની ગયા છે. આ દબાણોને કારણે સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન ગયું છે. અમદાવાદનું ચંડોળા તળાવ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ટોક ઓફ ટાઉન રહ્યું છે. તળાવમાં થયેલા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂષણખોરોના આશ્રયસ્થાનને કારણે તે ચર્ચામાં રહે છે. ત્યારે આ એક્શન જરૂરી કેમ તે સમજી લો....

  • બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત
  • જમીન ગેરકાયદે પચાવી
  • માનવ તસ્કરી
  • નકલી દસ્તાવેજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news