)
Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીમાં ગત રાત્રે ત્રાટકેલા વાવાઝોડામાં ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં ભારે તારાજી, ચીખલીના તલાવચોરા ગામે વાવાઝોડા જેવા તોફાની વંટોળને કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા, વાવાઝોડામાં ઘરોના પતરા ઉડતા ઘરમાં બાળકો સાથે સુતેલા લોકો જીવ બચાવી ભાગ્યા હતા. વાવાઝોડામાં અનેક લોકોએ ખુલ્લા આકાશમાં રહેવાની નોબત, વાવાઝોડાને કારણે ગામડાઓની સ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ તલાવચોરા સહિતના ગામડાઓમાં કરી મુલાકાત, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભાજપ અગ્રણીઓ પણ તલાવચોરા પહોંચ્યા. કલેક્ટર સાથે પ્રથમ લોકોને છત આપવા સાથે તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવા ધારાસભ્યે ભાર આપ્યો, ગામમાં વીજળી નહીં હોવાથી પ્રથમ લોકોને પીવાનું પાણી મળે એવી માંગ, કલેક્ટર દ્વારા નવસારી મહાનગર પાલિકાની ટીમોને સ્થળ ઉપર ઉતારવાની કરી તૈયારી, લોકોને તાત્કાલિક જરૂરી મદદ મળી રહે એની કલેક્ટરે આપી ખાતરી.
સીણધઈના સ્થાનિક સોમલીબેન કહ્યું કે, નવસારી જિલ્લામાં વરસાદ અને વંટોળ સાથે આવેલા વાવાઝોડાને કારણે ચીખલી તાલુકાના તલાવચોરા ગામે સૌથી વધુ તારાજી સર્જાય હતી. જેમાં પણ તલાવચોરા રાજા ફળિયા, શામળા ફળિયામાં અંદાજે 100 થી વધુ ઘરોના પતરા ઉડ્યા હતા. રાતે અચાનક વંટોળમાં વાહનો પણ અટવાયા હતા. વંટોળ અને વરસાદથી બચવા ઘરમાં સૂતેલા પટેલ પરિવાર બાળકો સાથે પોતાનો જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળી નજીકના ઘરમાં આસરો લીધો હતો. પરંતુ થોડા સમય માટે વાયેલા વાવાઝોડામાં ઘરના પતરા ઉડી જવાથી ઘરનું ફર્નિચર, અનાજ, ગાદલા, ગોદલા સહિતનો સામાન પલળી જતા પરિવારને ભારે નુકશાન થયુ હતું. જ્યારે ઘરના 60 પતરા ઉડી જતા સામાન્ય પગાર મેળવતો પરિવાર કેવી રીતે ઘરની છત મેળવશે એની ચિતામાં મુકાયો છે.
વાવાઝોડાએ લોકોની છત છીનવી લીધી
અન્ય સ્થાનિક રહેવાસી રમેસભાઈએ કહ્યું કે, નવસારીમાં ગધરાતે આવેલા તોફાની વાવાઝોડાએ વાંસદા તાલુકાના સીણધઈ ગામને તહેસનહેસ કરી નાખ્યું છે. ગત રાતે દસ વાગ્યા આસપાસ અચાનક તોફાની પવનો સાથે ઉઠેલા વંટોળે ગામના લોકોને માથેથી છત છીનવી લીધી છે. તોફાની વાવાઝોડામાં 150 થી વધુ ઘરોના પતરા તેમજ નડ્યા ઉડી ગયા. લોકો ગભરાઈને પોતાના ઘરમાં સંતાયા પણ પત્ર અને નળિયા ઉડીને નીચે પડતા કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. થોડી મિનિટો માટે આવેલા વાવાઝોડાય કુદરતનો પ્રકોપ બતાવી દીધો હતો. આખા સીણધઈ ગામમાં તારાજી સરજી દીધી હતી. જોકે વાવાઝોડું શમ્યા બાદ લોકોની સ્થિતિ વિકટ બની હતી. કારણ ગામના તમામ વીજળીના થાંભલાઓ તૂટી પડ્યા હતા, જેના કારણે વીજળી ગુલ થઈ હતી. સાથે જ ઝાડ ઘરો ઉપર પડવાને કારણે દીવાલો પણ તૂટી પડી હતી. વાવાઝોડા સાથે વરસેલા વરસાદ ઘરમાં અનાજ ઢોરનો ચારો સહિત તમામ વસ્તુઓને પલળી દીધી હતી. જેથી લોકોને નુકસાન વેચવાનો વારો આવ્યો હતો. વીજળી નહીં આવતા પાણી પણ ગામમાં મળ્યું ન હતું.
લોકોને તાડપત્રી આપી ઘર ઢાંકવા મદદ કરાઈ
જોકે ઘટના બાદ આજે સવારથી વહીવટી તંત્ર સાથે સ્થાનિક આગેવાનો તેમજ સમાજસેવી સંસ્થાઓ આગળ આવી છે અને સીણધઈ ગામના લોકોને મદદ આવી છે. હાલ તો પ્રાથમિક તબક્કે લોકોને તાડપત્રી પ્લાસ્ટિકની મદદ કરવામાં આવી છે. જેથી તેઓ પોતાના ઘરની છત ઢાંકી શકે સાથે જ ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓની કીટ પણ આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ સીણધઈ ગામે પહોંચ્યા હતા અને ગરોની સ્થિતિ તેમજ લોકોને કરવામાં આવી રહેલી મદદની સમીક્ષા કરી હતી સાથે જ અધિકારીઓને યુદ્ધના ધોરણે વીજળી શરૂ કરાવવા તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકાય એવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. જ્યારે તંત્ર દ્વારા સમગ્ર ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને લોકોને કેટલું નુકસાન થયું એનો રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ પણ ગામના ઘરે ઘરે ફરી લોકોને આરોગ્ય સેવા આપી રહી છે.
નવસારીમાં ગધરાતે આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકાના સીણધઈ ગામે વિનાશ વેર્યો છે. ગામના હોળીમોરા ફળિયા દૂતાળા આબા ફળિયાના 350 થી વધુ પરિવારો ના માથેથી છત વાવાઝોડા એ છીનવી લીધી છે ઘણા ઘરોની દીવાલો તૂટી પડી તો ઘરો ઉપર ઝાડ પડતાં લોકોને રહેવાનું ક્યાં એ પ્રશ્નો ઉભો થયો છે લોકોની સ્થિતિ એવી છે કે રાત ક્યાં કાઢવી શું ખાવું નાના બાળકોને કેવી રીતે રાખવા આ તમામ ચિંતા એ લોકોને દયનીય હાલતમાં મૂકી દીધા છે સીણધઈ સંજય ગામની પરિસ્થિતિ જાણતા જ વલસાડના સાંસદ ધવલ પટેલ ગત રાતથી વીડિયો કોન્ફરન્સથી ભાજપે આગેવાનો સાથે તેમજ ગામના આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા. સાથે જ ગામમાં જરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં તમામ ઘરોને પ્રથમ તાડપત્રી ની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી સાથે જ કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા એક ઘરને 10 પતરા એ પ્રમાણે પતરા પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
સાંજ સુધીમાં લોકોએ પોતાના ઘરની છત બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ વરસાદનું કારણે જગ્યામાં રહેવું કેમ એ નીચેના તેમને સતાવી રહી છે. સાંસદ ધવલ પટેલે પણ બંને ફળિયાના લોકોના ઘરે જઈ તેમની સ્થિતિ જાણી હતી. તેમની વાત સાંભળી તેમને સંવેદના પાઠવી સાથે જ તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને જરૂરિયાતની વસ્તુઓ તાત્કાલિક ધોરણે મળે એવી વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ધર્યા છે. જેની સાથે ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્યના મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને નાણામંત્રી સાથે મુલાકાત કરી વહેલામાં વહેલું રાહત પેકેજ જાહેર થાય એ માટેના પણ પ્રયાસો સાંસદ ધવલ પટેલે હાથ ધર્યા છે .
ગુજરાતની વાવાઝોડા બાદની સ્થિતિની જાણ થતા જ જિલ્લા પંચાયત હસ્તકના વાંસદા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરાંગ પટેલ પણ તેમની ટીમ સાથે સતત કાર્યરત છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ તો ગામમાં પડેલા વૃક્ષોને કાપીને હટાવવાનો મુશ્કેલ કામ હાથમાં લીધું હતું રાત્રિના સમયે વાહનો પણ જઈ શકતા ન હતા વીજ ન થાંભલા પડી જતા વીજળી પણ ન હતી અને સાથે આકાશમાંથી વરસતો વરસાદ રાહત કાર્ય માટે જોખમરૂપ જણાતો હતો પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હિંમત રાખીને લોકોની સુવિધા માટે સતત કામ કર્યું અને સવાર સુધીમાં ગામના પ્રભાવિત તમામ રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા જેથી લોકોના ઘર સુધી સુવિધા પહોંચાડવામાં સરળતા રહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિ માં હોળી મોરા ફળિયાના અનેક લોકોની સ્થિતિ વિકટ બની છે ત્યારે સરકાર પાસે યોગ્ય મદદ કરવામાં આવે અને તેમનું જીવન ફરી પાટે ચડે એ માટેના પ્રયાસો થાય સહાય વહેલી મળે એવી આશા સેવામાં આવી રહી છે
નવસારીમાં ગત રાતે આવેલા વાવાઝોડામાં અનેક ઠેકાણે વિનાશ વેર્યો છે. જેમાં ચીખલીની દાદાભાઈ એડલજી ઇટાલીયા કન્યા શાળાના હોલના પતરા પણ ઉડાવી દીધા હતા. પતરા ઉડવાને કારણે હોલમાં મુકેલ સંગીતના સાધનો, સાઉન્ડ સિસ્ટમ સહિતનો સામાન પલળી જતા શાળાને 7 થી 8 લાખ રૂપિયાનું નુકશાન થયુ હતું
નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડાને પગલે સુરત અને નવસારી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી, 1000 થી વધુ ઘરોને મોટા પાયે નુકસાન, પશુપાલન ઘરો ખેતી અને બાગાયતી પાકોને મોટાભાઈ નુકસાન, 20 થી વધુ ગામોમાં નુકસાન, ચીખલી તાલુકો અને વાંસદા તાલુકામાં વાવાઝોડાની અસર, 20 થી વધુ લોકો ઘાયલ, રાજ્ય સરકારના ડિઝાસ્ટર વિભાગને કરવામાં આવી જાણ
લાવચોરા ગામના પટેલ ફળિયા ના માજીને ભગવાને બચાવ્યા, મંદિરે આરતી કરવા ગયા હતા તે દરમ્યાન મકાન ના પતરાં પડ્યા, ઘરની બાજુમાં આવેલ કોઢાર માં પશુઓ દબાયા ગામના સ્થાનિકોની મદદથી માજી ના પશુને સારવાર આપવામાં આવી, માજી મંદિરે જતા આબાદ બચાવ થતા ભગવાનનો આભાર માન્યો, ચક્રવાતને લઈને ચીખલી તાલુકામાં પંદર ગામો અસરગ્રસ્ત થયા, વીજપોલ ,ખેતર ,ઘરો પશુઓ ,અને માનવજીવનને હાની, તંત્ર અસરગ્રસ્તો ગામોના નિરીક્ષણ ખડેપગે ઉભા છે.