અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો એક રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે. 
અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

કેતન જોશી/અમદાવાદ :અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો એક રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે. 

એવિયેશન ફિલ્ડની સંસ્થા ડીજીસીએએ ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટને નિર્દેશકોના સુરક્ષા નિયમો મુજબ, કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યોગ્ય ન લેવાના સંદર્ભે મંગળવારે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. સૂત્રોના અનુસાર, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને આ મહિનાની શરૂઆતમાં જ કેટલાક એરપોર્ટનુ નિરીક્ષણ કર્યું હતું. જેના બાદ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. 

અમદાવાદ એરપોર્ટ રન-વેને જે રીતે મેન્ટેન કરવો જોઈએ તે મુજબનો નથી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ કહ્યું કે, ચોમાસા દરમિયાન વિવિધ એરપોર્ટ પર વિમાનોના લેન્ડિંગ સાથે જોડાયેલ કેટલીક ઘટનાઓ બાદ ડીજીસીએએ આ પગલુ ભર્યું છે. આ નોટિસ ડિસેમ્બર ૨૦૧૮થી લઈને જુન ૨૦૧૯ સુધીના ૭ મહિનાના નિરીક્ષણ પછી આપવામાં આવી છે. રન-વેનું પ્લાનિંગ અને મેન્ટેન્સ બરાબર નથી તેવું જણાવ્યું છે. અમુક ધારાધોરણ નિમ્ન કક્ષાનું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર નોટિસનો જવાબ કેવી રીતે આપે છે. 

આ તપાસ દરમિયાન ટીમને એરપોર્ટના રનવે પર ગંભીર પ્રકારની બેદરકારી જણાઈ આ‌વી હતી. એજરીતે રનવેની બાજુમાં આવેલી એર સ્ટ્રીપની આજુબાજુમાં પણ નકામી વસ્તુઓ જેમાં કોંક્રીટ, ડામર, ખુલ્લા વાયરોના ઢગલા વગેરે મળી આવ્યું હતું. એજ રીતે રનવે માટે દર મહિને ફરજિયાત થતું રનવે ફ્રિક્શન ટેસ્ટ પણ રેગ્યુલર થયુ હોવાનું જણાયું નથી.

ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર જયપુરથી આવી રહેલી સ્પાઈસ જેટ વિમાન લેન્ડ કરતા સમયે રન-વે પરથી લપસી પડ્યું હતું. આ કારણે મુખ્ય રનવેને ત્રણ દિવસથી વધુ સમય માટે બંધ રાખવામાં આવ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news