Earthquake in Kutch: ફરી કચ્છમાં વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ, દુધઈ નજીક 5ની તીવ્રતાનો આંચકો, આ વિસ્તારો આવ્યા ઝપેટમાં!
Earthquake In Kutch, Gujarat: કચ્છમાં લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપરથી નખત્રાણા સુધી લોકોએ આંચકાની અનુભૂતિ કરી હતી. લોકો ઊંઘમાંથી સફાળા જાગ્યા હતા. 11.26 રાત્રે કચ્છમાં આંચકો આવ્યો હતો.
Trending Photos
Earthquake: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ ફરી એકવાર દુધઈ પાસે ગઈકાલે રાત્રે 11:26 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. પરંતુ ગત મોડી રાત્રે 11:26 કલાકે દુધઈ પાસે 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી લઈને નખત્રાણા વિસ્તારમાં આ આંચકાની અસર થઈ હતી.
ગઈકાલે મધરાતે 11:26 કલાકે 5.0ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના દીધાઈથી 17 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે. ગાંધીનગર સ્થિત ISR (ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે કચ્છ જિલ્લામાં ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર દુધઈ ગામથી આશરે 17 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં આવેલું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે.
આ ભૂકંપના આંચકામાં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના અહેવાલો સામે આવ્યા નથી. છતાં લોકો થોડીક ક્ષણ માટે ઘરની બહાર દોડી આવ્યાં હતા. ISR દ્વારા સ્થિતીની નજર રાખવામાં આવી રહી છે અને અધિકૃત સ્ત્રોતો દ્વારા વધુ માહિતી વહેલી તકે જાહેર કરવામાં આવશે. ગત રાત્રે ફરી વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉ, રાપર, અંજાર, ગાંધીધામ,ભુજ, નખત્રાણા, નીરોણાના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી .
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે