)
Kutch News : શનિવારની રાતે આખું ગુજરાત કૃષ્ણમય બનીને તેની ભક્તિમાં લીન થયું હતું, ત્યાં કચ્છના ભચાઉના ચોબારી ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન વીજપોલ તૂટી પડ્યો હતો. જેમાં એક કિશોરનું મોત નિપજ્યું છે, તો એક ઘાયલ છે.
ભચાઉના ચોબારી ગામમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ચોબારી ગામમાં જન્માષ્ટમીની રાતે રામ મંદિર પાસે મટકી ફોડ કાર્યક્રમ આયોજિ કરાયો હતો. લોકો મટકીફોડમાં વ્યસ્ત હતા, ત્યાં આ દરમિયાન રસ્સી ખેંચતા વીજપોલ તૂટી પડ્યો હતો, અને આ દરમિયાન અચાનક નાસભાસ થઈ હતી. લોકોએ વીજપોલ તૂટી પડતા દોડી ગયા હતા, પરંતું બે કિશોર તેની અડફેટે આવી ગયા હતા.
જોકે, વીજપોલ બે કિશોર પર પડ્યો હતો. લોકોએ વીજપોલ હટાવીને કિશોરોને બહાર કાઢ્યા હતા. પરંતું વીજપોલ દુર્ઘટનામાં એક કિશોરનું મોત નિપજ્યું હતું. તેમજ અન્ય એક કિશોર ઘાયલ થયો છે.
જન્માષ્ટમી પર્વની ઉજવણી દરમ્યાન બનેલી ઘટનાથી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રસંગની ઉજવણીમાં માતમ છવાયો હતો.
ગામના સરપંચે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ગ્રામજનો માટલી તોડવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન, જ્યારે ગામના યુવાનો માટલી ફોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન મટકી જે વીજળીના થાંભલા સાથે બાંધવામાં આવ્યો હતો તે અચાનક ભીડ પર પડ્યો હતો.
વાવમાં વીજળી પડતા 30 વર્ષીય યુવકનું મોત
બનાસકાંઠાના વાવના ખીમાંણા પાદર ગામમાં યુવક ઉપર વરસાદી વીજળી પડી હતી. 30 વર્ષીય નરેશ ઠાકોર ઉપર અચાનક વીજળી પડતાં તેનું મોત નિપજ્યું છે. સુઇગામના મામણા ગામનો યુવક નરેશ ઠાકોર અસારા ગામમાં પરિવાર સાથે મજૂરી રહી કરતો હતો. નરેશ ઠાકોર તેના ફુવા સસરાને મળવા ખીમાંણાપાદર ગામે આવ્યો હતો ત્યારે એના ઉપર વીજળી પડી હતી. ત્રણ સંતાનોના પિતાનું વિજળી પડતા મોત થતા સમગ્ર પંથકમાં દુખની લાગણી ફેલાઈ છે.