ગુજરાતી મહિલાનો આતંકી હુમલાનો આંખો દેખ્યો અહેવાલ, પતિએ કેવી રીતે ખોળામાં જ દમ તોડ્યો

Pahalgam Attack Victim's Wife : પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શખ્સની પત્નીએ એ ક્ષણની ભયાનકતા યાદ કરતા કહ્યું, બધું માત્ર ગણતરીના સેકન્ડોમાં થયું, હું કંઈ કરી શક્તી ન હતી

ગુજરાતી મહિલાનો આતંકી હુમલાનો આંખો દેખ્યો અહેવાલ, પતિએ કેવી રીતે ખોળામાં જ દમ તોડ્યો

Surat News : હ્રદયદ્રાવક પહેલગામ આતંકી હુમલાના બે દિવસ પછી, 26 પીડિતોમાંના એક શૈલેષ કળથીયાની પત્ની શિતલ કળથીયાએ ઘટનાની ભયાનકતા વર્ણવી, જે સાંભળીની રુંવે રુંવાડા ઉભા થઈ જાય. એ ક્ષણને યાદ કરતાં જણાવ્યું કે, અમે કાશ્મીરના એ મિની સ્વિટ્ઝર્લેન્ડની ટોચ પર પહોંચ્યા હતા અને જમવા બેઠા હતા ત્યારે ગોળીબાર સંભળાયો હતો. 

"અમે મિની સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યા જ હતા જ્યારે ગોળીબાર શરૂ થયો. બે વાર ગોળીબાર થયો, અને બીજા ફાયરિંગ બાદ, બધા જીવ બચાવવા દોડવા લાગ્યા. તેઓએ અમને ઘેરી લીધા અને હિન્દુ પુરુષોને મુસ્લિમ પુરુષોથી અલગ થવા કહ્યું. અમે બધા ચૂપ હતા અને માત્ર આશા રાખતા હતા કે તેઓ ચાલ્યા જશે. પરંતુ બધું માત્ર એક જ સેકન્ડમાં થયું. તેઓએ બધાને મરતા જોવા માંગતા હતા, હું કંઈ કરી શકી નહિ.’ તેવું શિતલ કળથીયાએ કહ્યું.

અમે હજુ પણ આઘાતમાં છીએ. શિતલ કળથીયાએ કહ્યું કે, આવું બધું તો અમે અમે ફક્ત ફિલ્મોમાં જ જોયું હતું. પરંતુ સ્થળ પર સુરક્ષાની ગેરહાજરી પર પણ પ્રશ્ન ઉઠે છે. 

"અમે ફક્ત ફિલ્મોમાં જ આ બનતું જોયું હતું, પરંતુ જ્યારે અમે વાસ્તવિક જીવનમાં આ જોયું, ત્યારે અમે ભાંગી પડ્યા હતા. અમારા માટે સૌથી વધુ આઘાતની વાત એ છે કે ત્યાં એક પણ સુરક્ષા કરનાર જવાન હાજર ન હતો. જો તેઓ જાણતા હોત કે તે સ્થાન પર આવા જોખમો હોય છે, તો તેઓએ કોઈને ત્યાં જવા દેવા ન જોઈએ." તેણીએ કહ્યું.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 24, 2025

મૃતકના પુત્ર નક્ષે જણાવ્યું હતું કે તેઓ ચાર જણનો પરિવાર હતો જે પ્રવાસે ગયો હતો. અમે ચાર લોકો ગયા હતા, જેમાં મારા પિતા, મારી માતા અને મારી બહેનનો સમાવેશ થાય છે," તેણે કહ્યું.

પિતાને ગુમાવનાર પુત્રની આપવીતી
પિતાના અંતિમ સંસ્કાર પુત્રએ આતંકી હુમલા વિશે વિગતવાર માહિતી જણાવી હતી. પુત્રએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલગામમાં અમે ઘોડા પર ગયા હતા. રસ્તો ખુબ જ ખરાબ હતો. અમે જેવા પહોંચ્યા ત્યાં અમને ભૂખ લાગી હતી. ત્યાં અચાનક પાછળથી ગોળીઓનો અવાજ આવવા લાગ્યો.. અમે બધા ભાગવા લાગ્યા. એટલામાં અમુક આતંકવાદીઓ અમારી સામે આવી ગયા. અને અમને કહેવા લાગ્યા કે મુસલમાન અલગ થઈ જાવ અને હિન્દુઓ અલગ થઈ જાવ. ત્યારબાદ તમામ હિન્દુ પુરુષોને ગોળી મારી દીધી. બાદમાં ત્યાંથી તેઓ ભાગી ગયા, અને અમે ભાગીને નીચે આવી ગયા. પિતાને ગુમાવનાર પુત્રએ આતંકીઓ વિશે જણાવ્યું હતું કે, એક આતંકવાદીને દાઢી લાંબી હતી. માથા પર ટોપી પહેરેલી હતી અને માથા પર કેમેરા પણ લાગેલા હતા.

શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું 
પતિને ગુમાવનાર શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું છે. તેમણે જણાવ્યું હતું કે પરિવાર અનેક અરમાનો સાથે ધરતી પરના સ્વર્ગમાં ફરવા ગયો હતો. શૈલેષભાઈનો જન્મદિવસ ઉજવવાનો હતો. દીકરીએ 12માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ પરિવારને હળવાશનો સમય માણવા માટે ગયો હતો પરંતુ તેમને શું ખબર હતી કે, તેમના પ્રિયજનને તેમણે ગુમાવવા પડશે. પતિને ગોળી મારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્નીએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખમાં આંસું આવી ગયા હતા. તેમણે કહ્યું કે પહેલા તો આતંકીઓએ ધર્મ પુછીને લોકોને અલગ તારવ્યા હતા. ત્યારબાદ શૈલેષભાઈને તેમના પત્ની અને સંતાનોની સામે ગોળી મારવામાં આવી હતી. જ્યાં સુધી શૈલેષભાઈનો જીવ ન ગયો ત્યાં સુધી એ આતંકીઓ ત્યાં જ ઉભા હતા અને હસતા હતા. 

આતંકીઓની આ હરકતે શૈલેષભાઈના પરિવારને જીંદગીભર ન ભૂલી શકાય એવા ઘા આપ્યા છે. પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા. મૃતકની પત્નીએ વિલાપ કરતા કહ્યું કે મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news