ચકચારી હનીટ્રેપના કેસમાં ભરાયા પદ્મિનીબા વાળા, બા સહિત 4 લોકોની થઈ ધરપકડ
Padminiba Wala Honeytrap Controversy : રાજકોટમાં ચકચારી હનીટ્રેપમાં ફસાવવા મામલે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાની ધરપકડ ....પદ્મિની વાળા સહિત 4 લોકોની પોલીસે કરી ધરપકડ....મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી બહાર... પદ્મિની વાળાએ ગોંડલના રમેશ અમરેલિયાને હનીટ્રેપમાં ફસાવ્યા....
Trending Photos
Rajkot News : રાજકોટમાં ચકચારી હનીટ્રેપમાં ફસાવવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાની ધરપકડ કરાઈ છે. પદ્મિની વાળા સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે.
- ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની ધરપકડ
- સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા, હિરેન દેવડિયાની ધરપકડ
- પદ્મિની વાળાએ ગોંડલના રમેશ અમરેલીયાને હનીટ્રેપમાં ફસાવ્યા
- હનીટ્રેપમાં ફસાવ્યા બાદ લાખો રૂપિયાની કરી માંગણી
- ક્ષત્રિય સમાજના અગ્રણી છે પદ્મિનીબા વાળા
ગોંડલ હનીટ્રેપની ઘટનાનમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનું નામ આવ્યું છે. ત્યારે આ મામલે પદ્મિનીબા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેજલ નામની મુખ્ય મહિલા આરોપી હજૂ પણ પોલીસ પકડથી દૂર છે. ગોંડલના રમેશભાઈ નામના શખ્સને હનીટ્રેપમાં ફસાઈ જવાની ધમકી આપવામાં આવી હતી. તેમની પાસેથી 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં રાજકોટની તેજલ છૈયા, પદ્મીનીબા વાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઈન્ચાર્જ પીઆઈ ડામોરે તપાસ હાથ ધરી હતી. જેમાં પદ્મિનીબા વાળા તેના પુત્ર સત્યજીતસિહ ગીરીરાજસિહ વાળા,શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. જોકે, આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ છે.
શું છે સમગ્ર મામલો
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનમાં અગ્રેસર રહેનારા અને મહિલા શક્તિની લડાઈ લડનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ થતા હડકંપ મચી ગયો છે. એક યુવતી દ્વારા વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા માંગવાના, મકાન પચાવી પાડવાના અને ધમકી આપવાના ષડયંત્રમાં સંડોવણી અંતર્ગત પદ્મિનીબા વાળાનું નામ આવ્યું છે. આ અંગે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સામે હનીટ્રેપનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. 60 વર્ષીય વૃદ્ધની ફરિયાદ અનુસાર, એક યુવતીએ તેમના પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણીનો આક્ષેપ વૃદ્ધ દ્વારા કરવામાં આવ્યો છે.
નિવૃત્ત વૃદ્ધે ફરિયાદમાં કહ્યું કે, એક યુવતી દ્વારા તેમને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં તેમનું મકાન પચાવી પાડવાનો કારચો રચાયો હતો. તેમજ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેથી તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજના આંદોલનમાં ઠેરઠેર દેખાવો કર્યા હતા અને ત્યારથી તેઓ અવાર નવાર ચર્ચામાં રહે છે. પદ્મિનીબા વાળા અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં પણ તેમના અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે