)
Ahmedabad Plane Crash : અમદાવાદના આંગણે સ્તબ્ધ થઈ જવાય તેની ઘટના બની છે. આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. 241 મુસાફરો અને કેટલાક સ્થાનિકોનો તેમા જીવ ગયો છે. આ ઘટના દુખદ છે. કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ વચ્ચે કેટલીક એવી બાબતો બની જે કોઈ ચમત્કારથી ઓછી ન હતી.
એકમાત્ર પેસેન્જર લકી નીકળ્યો
જ્યારે તમારૂ નસીબ સારૂ હોય તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં. આ વાત આજે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાચી પડી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થવાની સાથે ક્રેશ થઈ ગયું હતું. આ ફ્લાઇટમાં 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) લોકો સવાર હતા, જેમાં લગભગ બધા લોકોના મોત થયા છે, પરંતુ માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. રમેશ વિશ્વાશકુમાર નામનો વ્યક્તિ પણ આ ફ્લાઇટમાં સવાર હતો. આ દુર્ઘટનામાં રમેશ વિશ્વાશકુમારનો જીવ બચી ગયો છે. બાકી વિમાનમાં સવાર બધા લોકોના મોત થયા છે.
બધુ બળ્યું, પણ ભગવદ ગીતા ન બળી
પ્લેન ક્રેશમાં રેસ્ક્યૂ દરમિયાન બચાવ ટીમને ભગવદ ગીતા મળી આવી હતી. કદાચ કોઈ મુસાફર આ પવિત્ર ગ્રંથ સાથે અમદાવાદથી લંડન જઈ રહ્યો હતો. જ્યાં બધો સામાન બળીને રાખ થઈ ગયો હતો, ત્યાં ભગવદ ગીતા સંપૂર્ણપણે સલામત અને વાંચી શકાય તેવી સ્થિતિમાં હતી. ત્યાં હાજર લોકો તેને ચમત્કાર તરીકે જોઈ છે.. કાટમાળમાં વિમાનના ખરાબ રીતે બળી ગયેલા અને તૂટેલા ભાગો વચ્ચે ભગવદ ગીતાની સલામત શોધ માત્ર ચમત્કારિક જ નથી માનવામાં આવી રહી. પરંતુ તે લોકોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક પણ બની ગયું છે. ગીતાના પાના બતાવતા ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
યુવતીની ફ્લાઈટ છુટી ગઈ, અને જીવ બચી ગયો
અમદાવાદની ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા તેના પતિ પાસે જવાની હતી. આ માટે ગુરુવારે તે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા નીકળી હતી પરંતુ અમદાવાદમાં એટલો ટ્રાફિક હતો, તે સમયસર એરપોર્ટ પર પહોંચી શકી ન હતી. તે ચેક-ઇન ગેટ પર માત્ર 10 મિનિટ મોડી પહોંચી હતી, જેના કારણે તેને બોડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. ભૂમિએ કહ્યું હતું કે, "મેં ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એરપોર્ટ સ્ટાફે કહ્યું હતું કે વિલંબને કારણે મને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હું થોડી નિરાશ થઈને પાછી ફરી હતી. જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી. હું મારી દેવી માતાનો આભાર માનું છું કે હું બચી ગઈ, પરંતુ આ ઘટના ખૂબ જ ભયાનક છે."મને લાગે છે કે તે ગણપતિ બાપ્પાની કૃપા હતી કે હું તે ફ્લાઇટમાં નહોતી. હું ભગવાનનો આભાર માનું છું.
કાટમાળમાંથી મળી આવ્યા 'ઠાકોરજી'
પ્લેન ક્રેશમાં ચોથો ચમત્કાર એ છે કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના કાટમાળમાંથી 'ઠાકોરજી' મળી આવ્યા હતા. કોઈ મુસાફરની બેગમાંથી ઠાકોરથી મળ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વા