)
Amit Khunt Suicide Case : રીબડાના પાટીદાર યુવત અમિત ખૂંટ આત્મહત્યાનો કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજ્ય સરકારની એન્ટ્રી થઈ છે. રાજ્યસરકારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશ્યલ PP (સરકારી વકીલ) ની નિમણૂંક કરી છે.
અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહની વધી શકે છે મુશ્કેલી
રાજ્ય સરકારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશ્યલ PP ની નિમણૂંક કરી છે. એડવોકેટ ચેતન શાહની અમિત ખૂંટ કેસમાં સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખૂંટ પરિવારને સ્પેશિયલ PP ફાળવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ગોંડલ કોર્ટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ ચાલી રહ્યો છે, જેમાં અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપ સિંહ જાડેજા મુખ્ય આરોપી છે. ત્યારે હવે અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે.
આરોપી હજી પકડાયા નથી, પાટીદાર સમાજ લાલઘુમ
રીબડાના અમિત ખૂટ નામના પાટીદાર યુવકનો આપઘાત કેસના આરોપીઓ હજુ પકડાયા નથી. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર છે. જોકે આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં રોષ જોવા મળ્યો છે. ગતરોજ રાજકોટમાં પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઇ હતી. જેમાં અમિત ખૂંટના પરિવારને કેવી રીતના ન્યાય અપાવી શકાય તેની ચર્ચા કરાઈ હતી. જ્યારે કાયદાકીય રીતે લડત કેવી રીતના ચલાવી શકાય તેની પણ ચર્ચા થઈ. રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.
5 ઓગસ્ટે અમિત ખૂંટે કરી હતી આત્મહત્યા
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.