કોરોના: વડોદરા શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો

શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ તપાસ કરીને આ વિગતો મેળવી છે. શહેર પોલીસનો કોરોનાના દર્દીઓની તપાસનો અહેવાલ જોઈ આરોગ્ય તંત્ર પગલા લેશે. નાગરવાડાનો પ્રથમ કેસ ફિરોઝખાન પઠાણ 16મી માર્ચે અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઈને આવ્યો હતો. 
કોરોના: વડોદરા શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો

રવિ અગ્રવાલ, વડોદરા: શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ તપાસ કરીને આ વિગતો મેળવી છે. શહેર પોલીસનો કોરોનાના દર્દીઓની તપાસનો અહેવાલ જોઈ આરોગ્ય તંત્ર પગલા લેશે. નાગરવાડાનો પ્રથમ કેસ ફિરોઝખાન પઠાણ 16મી માર્ચે અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઈને આવ્યો હતો. 

જ્યારે નાગરવાડામાં બીજો કેસ સુરા જમાતમાં માનનારા મહંમદ હુસેન સાદનો હતો. જેના પિતા નાગરવાડા મરકઝમાં રોકાયા હતાં. ભાવનગરની જમાતની સેવામાં હતા. આજ રીતે આજવા રોડ, બહાર કોલોની, કારેલીબાગ, ગોરવા જુબેલીબાગ, ડભોઈરોડ, તાંદલજા દિવાળીપુરા ,નવાપુરા, નિઝામપુરા, ન્યાય મંદિર, ફતેપુરા ,મકરપુરા ,વાડી પાણીગેટ, રાવપુરા ,સમા,ગોત્રી કિશનવાડી, યાકુતપુરા, પ્રતાપ નગર વગેરે વિસ્તારોની તપાસ હાથ ધરાઈ. 15 દિવસમાં 21 વિસ્તાર માં ઝીરો ગ્રાઉન્ડ લેવલ પર  ક્રાઇમ બ્રાન્ચે કામગીરી હાથ ધરી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાં જોવા મળી રહ્યાં છે. વડોદરામાં પણ કોરોનાના કેસની સંખ્યા વધુ જોવા મળી છે. ગઈ કાલે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ વડોદરામાં કોરોનાના 255 કેસ જોવા મળ્યા છે જેમાંથી 13 દર્દીઓના જીવ ગયા છે. હાલ ગુજરાતમાં કોરોનાના 3774 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 434 રિકવર થયા છે જ્યારે 181 દર્દીઓના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news