Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો, પણ હરખાઇને બહાર નિકળી પડતા નઈ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો, પણ હરખાઇને બહાર નિકળી પડતા નઈ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે સતત પાંચમાં દિવસે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,545 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 13,021 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 75.92 ટકાએ પહોંચ્યો હતો. 

અત્યાર સુધીમાં 1,01,60,781 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 28,69,476 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,30,30,257 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,47,525 એક્ટિવ દર્દી છે, જે પૈકી 786 લોકો વેન્ટિલેટર પર છે અને 1,46,739 લોકો સ્ટેબલ છે. 4,90,412 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,035 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 7, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 4 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત મહેસાણા 5, સુરત 4, વડોદરા 6, જામનગર 5, મહિસાગર 1, ગીરસોમનાથ 2, જુનાગઢ 5, બનાસકાંઠા 3, ભરૂચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, પાટણ 2, સાબરકાંઠા 2, મોરબી 1, નવસારી 1, સુરેંદ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અને દેવભૂમિ દ્વારકમાં 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 123 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news