ગાંધીનગર : રાજ્યમાં કોરોના નવા 24 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 52,576 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકે યુવતીને જાહેર રોડ પર બાહોમાં ભરી લીધી પછી યુવતીના ઘરે જઇને શરૂ કર્યું...


બીજી તરફ 152 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. 152 નાગરિકો સ્ટેબલ છે. 12,13,012 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે 10942 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, સાબરકાંઠા, સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 20 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube