GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 28 નવા કેસ, 39 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 39 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,452 દર્દીઓએ કોરોનાને માત આપી છે

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 28 નવા કેસ, 39 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 39 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,452 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.75 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે.

જો રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ 274 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 269 લોકો સ્ટેબલ છે. 8,14,452 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

અમદાવાદમાં 3, સુરતમાં 8, વડોદરામાં 4, દાહોદમાં 2, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 2, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,  જુનાગઢ, જામનગર, નવસારી, મોરબી અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં 0 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં ડીસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા 39 છે. જેમાં વડોદરામાં 7, અમદાવાદમાં 10, સુરતમાં 6, જામનગરમાં 3, દાહોદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 2-2 દર્દીઓ, જ્યારે અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી અને વલસાડમાં 1-1 દર્દી ડીસ્ચાર્જ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news