GUJARAT CORONA UPDATE: કોરોનાએ વધારી અમદાવાદીઓની ચિંતા, જાણો આજે કેટલા આવ્યા કેસ

રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,108 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.75 ટકાએ પહોંચ્યો છે

GUJARAT CORONA UPDATE: કોરોનાએ વધારી અમદાવાદીઓની ચિંતા, જાણો આજે કેટલા આવ્યા કેસ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,108 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 5,38,943 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 275 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટીલેટર પર છે. 268 સ્ટેબલ છે. 8,17,108 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 10 કેસ, વડોદરા કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 7-7 કેસ આવ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 4 કેસ, નવસારીમાં 3 કેસ આવ્યા છે. ભાવનગર કોર્પોરેશન અને કચ્છમાં 2-2 કેસ આવ્યા છે. આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, વડોદરા અને વલસાડમાં 1-1 કસે સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 40 કેસ આવ્યા છે.

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 ને પ્રથમ જ્યારે 2231 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13859 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 132044 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 42222 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 3,48,581 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 5,38,943 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 8,10,56,461 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news