જયરાજસિંહ જાડેજાએ કથીરિયાને ફેંક્યો પડકાર : ચૂંટણીમાં અણવર નહિ, વરરાજા બનીને લડવા આવજો

Ganesh Gondal Vs Alpesh Kathiriya : ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે આરપાર....ગોંડલ પહોંચેલા કથીરિયાનો કાળા વાવટા અને સુત્રોચ્ચારથી કરાયો વિરોધ....અલ્પેશે કહ્યું,  ગોંડલ મિર્ઝાપુર છે તેવું સાબિત થયું...તો જયરાજસિંહે કહ્યું, ગોંડલની જનતાએ આપ્યો જોરદાર જવાબ

જયરાજસિંહ જાડેજાએ કથીરિયાને ફેંક્યો પડકાર : ચૂંટણીમાં અણવર નહિ, વરરાજા બનીને લડવા આવજો

Gondal News : ગોંડલના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. આવામાં પાટીદાર વર્સિસ ક્ષત્રિયાના વિવાદ પર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. 

જે અહી રહેતા નથી તે વિરોધ કરવા આવી જાય છે - જયરાજસિંહ જાડેજા 
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. ૫૦૦ કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલની જનતાએ નામ આપ્યું છે. આ સાથે જ જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો કે, અણવર બનીને નહિ વરરાજા બનીને આવજો. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 27, 2025

 

ગોંડલની ઘટના પાછળ કોંગ્રેસનો હાથ
જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પ્રેરીત ષડયંત્ર છે. લેઉવા પટેલ અમારી સાથે છે. ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે. ગોંડલની જનતા ગણેશને પોતાનો દીકરો માને છે. પાસના નાપાસ થયેલા લોકો આવ્યા હતા. હું ભાજપ હાઈકમાન્ડને આ બાબતે ફરિયાદ કરીશ. પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે. 10 મહિનામાં ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તેથી ચૂંટણીમાં અણવર નહીં વરરાજા બનીને ચૂંટણી લડવા આવો. જાતિવાદ ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

ડર કે બંદૂકની અણીએ આટલા લોકો ભેગા ન થાય - ગણેશ ગોંડલ 
અલ્પેશ કથીરિયાના ગોંડલમાં હાજરીને લઈને ભારે બબાલ વચ્ચે જયરાજસિંહના નિવાસે નેતા એકત્ર થયા હતા. ગીતાબા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા. ગોંડલના ભાજપ અગ્રણીઓ જયરાજસિંહના નિવાસે ભેગા થયા હતા. તો બીજી તરફ, અલ્પેશ કથીરિયાને ગણેશ ગોંડલે જવાબ આપ્યો કે, ડર કે બંદૂકની અણીએ આટલા લોકો ભેગા ન થાય. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી, મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો થયો છે. ગોંડલમા કોઈ ડરનો માહોલ નથી. 

આગેવાનો પહોંચ્યા જયરાજસિંહના ઘરે
જયરાજસિંહ જાડેજા ના ઘરે ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા હતા. દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા છે. પાટીદાર તથા અન્ય સમાજના અગ્રણીઓ જયરાજ સિંહના બંગલે જોવા મળ્યા છે. ભાજપ તથા સહકારી અગ્રણીઓ હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે જયરાજસિંહના ઘરે પહોંચી ગયા છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત જોવા મળ્યાં. 

કથીરિયાની ગાડીની તોડફોડ
ગોંડલમાં ભારે વિરોધ વચ્ચે આવેલા અલ્પેશ કથીરિયાની ગાડીના કાંચ તોડવામાં આવ્યા હતા. ગણેશ ગોંડલના સમર્થકોએ ગાડીમાં તોડફોડ કરી હતી. હોબાળો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ મુકદર્શક બની રહી હતી. ત્યારે આ ઘટના અનેક સવાલો પેદા કરે છે કે, પોલીસે તોડફોડ સમયે કાર્યવાહી કેમ ના કરી? ગાડીઓમાં તોડફોડ થતા માહોલ ખરાબ થયો હતો. પોલીસ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કેમ ના સંભાળી?

ગોંડલ મિરઝાપુર છે - અલ્પેશ કથીરિયા 
અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા જોરદાર બબાલ થઈ છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા છે. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથીરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. "મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ. આજે ગોંડલમાં લોકોને મળ્યા બાદ CMને પણ મળીશું. 

અલ્પેથ કથીરિયાએ રુટ બદલ્યો 
તો બીજી તરફ, રાજકોટ-ગોંડલ વિવાદમાં અલ્પેશ કથિરીયાએ પીછે હઠ કરી હતી. તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા. પરંતું અક્ષર મંદિરથી તેમોન રૂટ ડાયવર્ટ કર્યો હતો. તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું. મોટી સંખ્યામાં લોકોનો રોષ જોતા અલ્પેશ કથીરિયાએ ત્યાંથી નીકળવાનું ટાળ્યું હતું. ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરીયા હાય હાયના નારા લગાવ્યા હતા. 

અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો - ગણેશ ગોંડલ
ગણેશ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો છે. આ જનમેદની ધમકી આપી, લમણે બંદૂર રાખીને ભેગી કરવામાં આવેલી નથી. આ જનમેદની સ્વયંભુ છે. આ દ્રશ્યો જ દેખાડે છે ગોંડલમાં સામાજિક સમરસતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news