)
Gandhinagar News : પીએમજય યોજનામાં માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચાર ખાનગી હોસ્પિટલોમાં થી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, તો ૨ ને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.
નવા આરોગ્ય મંત્રી એક્શન મોડમાં
પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી સામે આવી છે. મોડી રાત સુધી આરોગ્ય મંત્રી ખુદ કામગીરીમા સંકળાયા હતા. આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ૪ હોસ્પિટલ સામે પગલાં લેવાયા છે. રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ છે.
હોસ્પિટલવાઈઝ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ
દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)
કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)
મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)
મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)
રાજ્યના આરોગ્ય વિભાગે હોસ્પિટલો સામે કરેલી કડક કાર્યવાહી મામલે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, નિયમોની અનદેખી કરનાર અને દર્દીઓને તકલીફ આપનાર સામે કાર્યવાહી થશે. એક્સપાયરી દવાઓ અને દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરનાર હોસોઇટલ સામે કાર્યવાહી થશે. જપ હોય કે કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીનો હોય કાર્યવાહી થશે અને પગલાં લેવાશે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલો સારી કામગીરી પણ કરી રહી છે એમને વંદન અને અભિનંદન. ૨ હોસ્પિટલ સસ્પેન્ડ અને ૨ ને નોટિસ આ એક ઉદાહરણ છે કે, જો હજી પણ આવી ગેરરીતિ સામે આવશે અને દર્દીઓને હેરાનગતિ થશે તો પગલાં લેવાશે જ
તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે. સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૪ ખાનગી હોસ્પિટલમાંથી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૨ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”