પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Harsh Sanghavi on Pakistan: ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાની સેનામાં હડકંપ...પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પડ્યા....અનેક અધિકારીઓ અને જવાનોના રાજીનામાના અહેવાલ.....પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિર સામે વિરોધ...પાકિસ્તાની સેનામાં આંતરિક બળવા જેવી સ્થિતિ

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી જવાબી હુમલાની આશંકા છે. તેના પર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વીટ કરીને પાકિસ્તાનને આડે હાથ લીધું છે. 

ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાની સેનામાં હડકંપ 
ખબર આવી છે કે, પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પડી રહ્યાં છે. અનેક અધિકારીઓ અને જવાનોના રાજીનામાના અહેવાલ છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિર સામે વિરોધ થઈ રહ્યો છે. પાકિસ્તાની સેનામાં આંતરિક બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે. સેનાનું મનોબળ તૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે.અસીમ મુનિરનો પરિવાર વિદેશ ભાગ્યો હોવાની ચર્ચા વચ્ચે સેનામાં આંતરિક તણાવના અહેવાલોથી પાકિસ્તાનની ચિંતામાં ચોક્કસ વધારો થયો છે.

 

Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear.

— Harsh Sanghavi (@sanghaviharsh) April 27, 2025

 

હર્ષ સંઘવીનો પાકિસ્તાન પર પ્રહાર 
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી જવાબી હુમલાનો ડર સતાવી રહ્યો છે. અહેવાલ છે કે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરના પરિવાર બાદ હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટોનો પરિવાર પણ પાકિસ્તાન છોડીને કેનેડા ભાગી ગયો છે. આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને પાકિસ્તાનને આડે હાથ લીધું છે.

હર્ષ સંઘવીએ એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, 'આ ડર સારો છે!' પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે વળતો જવાબ આપ્યો અને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી અને પાકિસ્તાની લોકોને ભારત છોડવા કહ્યું. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નવ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 537 પાકિસ્તાની નાગરિકો છેલ્લા ચાર દિવસમાં અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારતથી પાકિસ્તાન જવા રવાના થયા છે.

ઘણા લોકો પાકિસ્તાનથી ભારત પાછા આવ્યા
એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, 12 કેટેગરીના ટૂંકા ગાળાના વિઝા ધારકો માટે ભારતમાં રહેવાની અંતિમ તારીખ રવિવારે સમાપ્ત થઈ રહી હોવાથી ઘણા વધુ પાકિસ્તાનીઓ સ્વદેશ પરત ફરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે 14 રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ 850 ભારતીય નાગરિકો પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે.

237 પાકિસ્તાની નાગરિકો તેમના દેશ પરત ફર્યા છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ 237 પાકિસ્તાની નાગરિકો 27 એપ્રિલ (રવિવારે) અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા પાકિસ્તાન પરત ફર્યા હતા, જ્યારે 28 એપ્રિલ 24 (ગુરુવારે), 25 એપ્રિલ (શુક્રવાર) ના રોજ 191 અને 26 એપ્રિલ (શનિવાર) ના રોજ 81 પરત ફર્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક રાજદ્વારી સહિત 116 ભારતીય નાગરિકો રવિવારે અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારત પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે 24 એપ્રિલે 105 ભારતીય નાગરિકો, 25 એપ્રિલના રોજ 287, જ્યારે 13 રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ 342 ભારતીયો 26 એપ્રિલના રોજ આ માર્ગ દ્વારા સ્વદેશ પરત ફર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news