ગુજરાત પોલીસની ભૂલ થઈ, બિહારીઓને બાંગ્લાદેશી સમજીને પકડ્યા, RJD ની નેતાએ કર્યો ખુલાસો

Illegal Bangladeshi In Gujarat : ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજી બિહારીઓને પકડી લીધા... RJDના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખની ટ્વિટ બાદ પોલીસે ડોક્યુમેન્ટ મગાવ્યા... ચારેય યુવનોને વેરિફિકેશન બાદ મુક્ત કરાયા

ગુજરાત પોલીસની ભૂલ થઈ, બિહારીઓને બાંગ્લાદેશી સમજીને પકડ્યા, RJD ની નેતાએ કર્યો ખુલાસો

Gujarat Police Surgical Strike : પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કરીને 1000 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે. પરંતું આ વચ્ચે ગુજરાત પોલીસે કેટલાક બિહારીઓને બાંગ્લાદેશી સમજીને પકડ્યા હતા. RJDના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટિવટ કરતા પોલીસે તાત્કાલિક ચારેય યુવાનોની તપાસ કર્યા બાદ ચારેયને મુક્ત કર્યા હતા. 

પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશીઓ પર તવાઈ....
ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ બોલાવી છે. અમદાવાદ, સુરતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ શોધાઈ રહ્યાં છે. ગુજરાતમાં રહેતા કુલ 1 હજાર બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે. અમદાવાદમાં 980, સુરતમાં 134 બાંગ્લાદેશીઓ પકડાયા છે. 

 

लेकिन दुर्भाग्यवश इस कार्रवाई में मेरे निर्वाचन क्षेत्र परिहार विधानसभा के बाया पंचायत के कुछ नवयुवक… pic.twitter.com/0wmknv4SHk

— Ritu Jaiswal (@activistritu) April 26, 2025

 

ભૂલથી બિહારીઓને બાંગ્લાદેશી સમજી લીધા 
મોહમ્મદ રબાની, મોહમ્મદ નેક મોહમ્મદ, મોહમ્મદ મુબારક અને મોહમ્મદ આઝમ નામ આપ્યા છે. આ તમામ યુવાનોને અમદાવાદથી પકડવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ હવે રાજકારણ પણ ગરમાયું હતું. ગુજરાતથી હજારો કિલોમીટર દૂરથી ગુજરાત પોલીસની આ કાર્યવાહી સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે.

મહિલા પ્રમુખે ટ્વિટમાં શું લખ્યું 
ગુજરાતમાં આજે લગભગ 500 લોકોને ઘૂસણખોરી કહીને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ અંગે મીડિયામાં વિવિધ પ્રકારના સમાચારો ચાલી રહ્યા છે. કેટલાક તેમને બાંગ્લાદેશી કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ કહી રહ્યા છે. પરંતુ કમનસીબે, આ કાર્યવાહીમાં મારા મતવિસ્તારના પરિહાર વિધાનસભા મતવિસ્તારની બાયા પંચાયતના કેટલાક યુવાનો પણ ઝડપાયા છે, જેઓ પોતાના અને પરિવાર માટે રોજીરોટી કમાવવા ગુજરાત ગયા હતા. તેને બાંગ્લાદેશી ગણાવીને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો છે. બાયા પંચાયતના સરપંચે આ યુવકોની ઓળખ કરતી વખતે પોતાના અધિકૃત પત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે કે આ તમામ લોકો ભારતના નાગરિક છે અને બિહાર રાજ્યના રહેવાસી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા હું બિહાર સરકારને વિનંતી કરું છું કે તે તાત્કાલિક પગલાં લે અને ગુજરાત સરકારનો સંપર્ક કરે અને બિહારના કોઈ નિર્દોષ યુવકને હેરાન ન થાય તેની ખાતરી કરે. આ યુવાનોનો ગુનો માત્ર એટલો જ છે કે તેઓ પરિહાર જેવા પછાત વિસ્તારના રહેવાસી છે, જ્યાં આઝાદીના 77 વર્ષ પછી પણ રોજગારીની પૂરતી તકો નથી અને તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા બિહારની બહાર જવા મજબૂર છે. હું તમામ સંબંધિત અધિકારીઓને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ બાબતની ખરાઈ કરવામાં આવે અને આ યુવાનોને ન્યાય મળે અને તેમને સન્માન સાથે મુક્ત કરવામાં આવે. બિહારના મજૂરો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news