Gujarat ની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા આદેશ, શિક્ષણ સંઘની માંગ સ્વિકારાઇ

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને 31 જુલાઇ સુધી શાળાનો સમય સવારનો કરવાની સૂચના આપી છે.  

Gujarat ની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા આદેશ, શિક્ષણ સંઘની માંગ સ્વિકારાઇ

ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં ચાલી રહેલા કોરોના સંક્રમણ (Coronavirus) ના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકો (Teacher) માં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગણી કરી હતી કે જુલાઇ (July) થી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે. જે માંગણી સ્વિકારી લેવામાં આવી છે. 

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને 31 જુલાઇ સુધી શાળાનો સમય સવારનો કરવાની સૂચના આપી છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરી શકે છે. જેથી રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસ ઘટી રહ્યા હોવા છતાં શાળાઓ ખોલવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news