'મોદી સાહેબને વિનંતી છે કે આ લોકોને ઘરમાં ઘૂસી ઘૂસીને મારજો', રાજકોટની યુવતીનો દર્દનાક VIDEO
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓ શ્રીનગરમાં ફસાયા હોવાની વાત સામે આવી છે. રાજકોટના કુલદીપસિંહ નકુમના પરિવારમાં ડરમાં કલાકો કાઢી રહ્યો છે. કુલદીપસિંહ નકુમ અને રૂચિ નકુમ ફસાયા છે અને શ્રીનગરમાં હોટેલ અને રિસોર્ટમાં ફસાયા છે. પરિવારજનોએ કહ્યું, અમારા સંતાનોને ખૂબ જ ડર લાગી રહ્યો છે.
સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે, અમારા બાળકો અને ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવામાં આવે. સરકાર કોઈ ખાસ વ્યવસ્થા ઉભી કરે. આંતકવાદીઓ સામે સરકાર કડક પગલાં લે તેવી માંગ કરી રહ્યા છીએ. પ્રવાસીઓના પરિવારનો વહીવટી તંત્રની અલગ અલગ ટીમો મુલાકાત લઈ વિગતો એકત્ર કરી છે.
મારું નામ રૂચિ છે અને હું મારા ફેમિલી સાથે કાશ્મીરમાં ફરવા આવેલું છું. અત્યારે અમે લોકો શ્રીનગરમાં રોકાયેલા છીએ અને અમે અહીં ફસાઈ ગયા છીએ, કારણ કે અમે લોકો અહીંથી ક્યાંય નીકળી શકતા નથી. અહીંથી બહાર જવાના બધા રસ્તાઓ બંધ છે. અહીંથી અમને લોકોને ફ્લાઈટ પણ નથી મળતી અને જે ફ્લાઈટ મળે છે તેનું ભાડું પણ ખુબ જ વધારે છે, જે 25થી 30 હજાર રૂપિયા છે. જેના કારણે અમારી પાસે કોઈ રસ્તો નથી કે અહીંથી અમે નીકળી શકીએ. હાલ અમે અહીં સુરક્ષિત છીએ. અને અમારી બહાર પણ સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે ખડેપગે છે.
અમે મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે જેમની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો. ઘરમાં ઘૂસી ઘૂસીને એમને મારજો. અમે લોકો ખુબ જ હેરાન છીએ. અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો ડરીને રહીએ છીએ. જે લોકોએ જોયેલું છે અને એ લોકો સાથે આ બધું થયેલું છે, એ લોકો પર શું વિતી રહી હશે. અમે લોકો અહીં સલવાયા હોય એવું લાગી રહ્યું છે. અમને એક જ વિચાર આવે છે કે અમે કેવી રીતે અહીંથી ઘરે પહોચીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે