વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: ગરમીના કારણે અમદાવાદની શાળાના સમયમાં થશે ફેરફાર
અમદાવાદ શહેરમાં અતિશય ગરમી હોવાથી વાલીઓની રજૂઆતને ધ્યાને રાખી બાલવાટીકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે શાળાનો સમય 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ જણાય છે, તેમ DEOના પરિપત્રમાં જણાવ્યું છે.
Trending Photos
Primary School Time: અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેનો જોતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. સવાર પાળીમાં બપોરે 12 વાગ્યા સુધી જ શિક્ષણકાર્ય ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે.
જી હા...અગાઉ શિક્ષણ વિભાગે સૂચના આપી હોવા છતાં અમુક સ્કૂલો દ્વારા તેનું પાલન થતું ન હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર DEOએ તમામ સ્કૂલોને પરિપત્ર કરી ગરમીના કારણે સ્કૂલનો સમય સવારનો જ રાખવા માટે તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે.
તમામ સ્કૂલોને આદેશ આપી બાલવાટિકાથી લઈને ધોરણ-8 સુધીની સ્કૂલોમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરાવવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન સ્કૂલોમાં ઓપન એર વર્ગો ન ચલાવવા માટે પણ જણાવાયું છે. આમ, હવે વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યાં સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય 12 વાગ્યા પહેલાં પૂર્ણ કરી દેવાશે.
ગરમીના કારણે તમામ છોકરા-છોકરીઓને શાળાએ આવતી વખતે તડકાનો સામનો ન કરવો પડે તે માટે શાળાનો સમય સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. શાળા બંધ થવાનો સમય બપોરે 12 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલોને સૂચના અપાઈ હોવા છતાં સંપૂર્ણ પાલન થતું ન હોવાની ફરિયાદો અવાર-નવાર ઊઠ્યાં કરે છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે