નફરત ફેલાવવા નહી પ્રેમ વહેંચવા આવ્યો છું : જીત બાદ જીજ્ઞેશ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનાં વડગામ સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. પહેલા મેવાણીએ પોતાનાં ટ્વિટમાં પ્રચાર અભિયાનમાં તેમની મદદ કરનારા તમામ બિનકાયદેસર સંગઠનો અને રાજનીતિક દળોનો આભાર વ્યક્ત કર્યો. તેનાં થોડા સમય બાદ કરેલા ટ્વિટમાં જિગ્નેશે લખ્યું કે, નફરત ફેલાવવા માટે નહી પ્રેમ લૂંટાવવા માટે આવ્યો છું, મનની વાત કરવા માટે નહી જનતાની વાત સાંભળવા માટે આવ્યો છું.
નફરત ફેલાવવા નહી પ્રેમ વહેંચવા આવ્યો છું : જીત બાદ જીજ્ઞેશ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનાં વડગામ સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. પહેલા મેવાણીએ પોતાનાં ટ્વિટમાં પ્રચાર અભિયાનમાં તેમની મદદ કરનારા તમામ બિનકાયદેસર સંગઠનો અને રાજનીતિક દળોનો આભાર વ્યક્ત કર્યો. તેનાં થોડા સમય બાદ કરેલા ટ્વિટમાં જિગ્નેશે લખ્યું કે, નફરત ફેલાવવા માટે નહી પ્રેમ લૂંટાવવા માટે આવ્યો છું, મનની વાત કરવા માટે નહી જનતાની વાત સાંભળવા માટે આવ્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચર્ચિત સીટો પૈકીની એક વડગામથી જીગ્નેશ મેવાણીએ 19696 મતથી પતાનાં નજીકનાં પ્રતિદ્વંદી ભાજપનાં વિજય ચક્રવર્તીને પરાજિત કર્યા.ગુજરાતમાં છેલ્લું એક વર્ષ ઘણું ઉથલ પાથલ યુક્ત રહ્યુ હતું. હાર્દિક પટેલનાં પીટાદાર આંદોલન બાદ દલિત આંદોલને રૂપાણી સરકારને ખાસ્સા પરેશાન કર્યા. બીજી તરફ એક દલિત નેતાનું નામ મીડિયામાં ઉભર્યું જે જીગ્નેશ મેવાણી જ હતા.

કોગ્રેસે હાર્દિક ઉપરાંત જીગ્નેશને પણ પોતાની સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યો હતો જો કે તેમણે ચૂંટણી લડવા મુદ્દે શરૂઆતમાં કોઇ પ્રતિબદ્ધતા નથી દેખાડી ત્યાર બાદ 27 નવેમ્બરે મેવાણીની સામે નહોતો ઉતાર્યો. જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાની વડગામ સીટ પરથી ચૂંટણી લડી હતી. વડગામ ભાજપનો ગઢ માનવામાં આવે છે. જો કે કોંગ્રેસનાં ધારાસભ્ય મણીભાઇ વાઘેલાને ચૂંટણી નહી લડવા માટે નિર્દેશ અપાયો હતો. મેવાણીને આપ દ્વારા સમર્થન અપાયું હતું. બીજી તરફ ભાજપે આ સીટ પર વિજય ચક્રવર્તીને ઉમેદવાર બનાવ્યા હતા. વડગામ એસસી સુરક્ષીત સીટ છે. આ સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

છેલ્લા ચારમાંથી ત્રણ કોંગ્રેસે અહીંથી જીતી છે. માત્ર 2007માં ભાજપને આ સીટ પર જીત મળી હતી. 2011ની વસ્તીગણતરી અનુસાર વડગામની કુલ વસ્તી આશરે અઢીલાખની આસપાસ છે. જેમાંથી 16.2 ટકા એસસી અને 25.3 ટકા મુસ્લિમોની સંખ્યા છે. આ બંન્ને કોંગ્રેસનાં કોર વોટર્સ છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસનાં મણીરામ વાઘેલા 90 હજારની મોટી લીડથી જીત પ્રાપ્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news