)
Junagadh News ; ગુજરાત સરકારે હજી સુધી કમોસમી વરસાદથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું નથી. પરંતુ પહેલા જુનાગઢના એક ખેડૂતો સહાય જાહેર કરી છે. બાદલપુરના દિનેશ કુંભાણી ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે.
ખેડૂતોની મદદે આવ્યા પાટીદાર
બાદલપુરના પાટીદાર દિનેશ કુંભાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે. દિનેશ કુંભાણીએ ત્રણ ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે. તેઓ પ્રભાતપુર, બાદલપુર અને સેમરાડા ગામના ખેડૂતોને નુકસાની સામે વળતર આપીને મદદ કરશે.
સહાય અંગે દિનેશ કુંભાણીએ કહ્યું કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ એક ઉમદા વિચાર હતો. 1983માં ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું . ખૂબ જ પારાવાર નુકસાન હતું, તેવી મુશ્કેલી ન પડે તે માટે ખેડૂતોને સહાય કરી તેમની મુશ્કેલી દૂર કરવાનો વિચાર આવ્યો. સરકાર પણ પૂરો સહાય આપશે તેવો મને વિશ્વાસ છે. સરકાર જલ્દીથી સહાય કરે તો ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના તમામ સુખી સંપન્ન લોકો વેપારીઓ પોતપોતાના વતને આવી સેવા આપે તો તમામ ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવશે. જે લોકો ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ જેવી સહાય આપે તો પણ ખેડૂતોને રાહત મળશે. નાની એવી મદદ પણ ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે છે.
હાલ બદલપુર ગામમાં 1800 થી 2000 હેક્ટર જેટલી જમીન ખેડૂતો આ ગામમાં વાવેતર કરે છે. ખાતેદારોની વાત કરીએ તો 1200 થી 1250 ખાતેદાર થાય છે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની બાબતેના સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીગ્રસ્ત જિલ્લાઓમાં 102 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગીરસોમનાથના વેરાવળથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. જો સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર નહિ લે તેવી અમિત ચાવડાએ જાહેરાત કરી. જાહેરસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ છે. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારને વાર નથી લાગતી. તો ખેડૂતોના દેવા પણ માફ કરવા જોઈએ. આ યાત્રા શરૂઆત છે. ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહિ કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રાખવા સંકલ્પ છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે. બહેરી મૂંગી સરકાર સમક્ષ ખેડૂતોની વેદનાને પહોંચાડવા માટેની યાત્રા છે.