ખેડા ન્યૂઝ

Nadiad Court ના બે મહત્વના ચુકાદા: જુદી જુદી બે દુષ્કર્મની ઘટનાના આરોપીઓને અજીવન કેદની સજા
નડિયાદ કોર્ટે આજે બે મહત્વાના ચૂકાદા આપ્યા છે. બે અલગ અલગ દુષ્કર્મની ઘટનાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદની યુરો સ્કૂલના શિક્ષકને દુષ્કર્મના કેસમાં આજીવન કેસની સજા ફટકારી છે. જ્યારે પોતાની સગી દીકરી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.
Feb 25, 2021, 03:34 PM IST
KHEDA: જેનું અન્ન ખાધું તેના જ ઘરમાં પાડ્યું ખાતર, માલિકની 15 વર્ષીય દિકરી સાથે શરૂ કર્યો રોમાન્સ
ખેતર માલિકની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં છીપડી ગામના ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલમાં પોલીસ જાપ્તા હેઠળ જઈ રહેલા આરોપીનું નામ છે બળવંત ઉર્ફે ભલાભાઇ ભીખાભાઈ રાઠોડ. કઠલાલ તાલુકાના છીપડી ગામનો રહેવાસી બળવંત કપડવંજ તાલુકાના સુલતાનપુર વોરા કબ્રસ્તાન સામે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતો હતો.
Feb 6, 2021, 06:21 PM IST
વડતાળમાં પુત્રનાં નામે બોગસ દવાખાનું ચલાવતો ઉંટવૈદ્ય ઝડપાયો, વર્ષોથી ચલાવતો હતો કતલખાનું
વડતાલમાંથી ઝડપાયો છે. મુન્નાભાઈ એમબીબીએસ. એક એવો ડોક્ટર કે જેણે ડોક્ટરનો અભ્યાસ તો કર્યો નથી, પરંતુ તે લોકોની સારવાર પણ કરી રહ્યો છે. પોતાના અનુભવના આધારે દવાઓ પણ આપી રહ્યો છે. સમગ્ર બાબતે ખેડા જિલ્લા કલેકટરની ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતાં આખરે તંત્ર દોડતું થયું. મુન્નાભાઈ એમબીબીએસના દવાખાના પર રેડ કરી તેની હાટડી સમેટી લેવામાં આવી.
Feb 5, 2021, 05:26 PM IST
હવાઈ મુસાફરી કરીને લોકોના ઘરોમાં ચોરી કરતી ગેંગ આણંદથી પકડાઈ
આંણદ પોલીસે એવા ચોરને પકડ્યો છે કે જેની ઓળખ અને ગુનામાં તો એક ઘરફોડ ચોર તરીકેની છે. પરંતુ આ સિવાય આ ચોર વિમાન મુસાફરી કરીને ગુજરાત બહાર પણ ચોરી કરતો હતો.
Jan 16, 2021, 11:06 AM IST
ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, પરિવાર પર તૂટ્યું આભ, ચાહકો શોકમાં
ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.
Sep 7, 2020, 10:38 AM IST
નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો, વિધર્મી યુવતી સાથે હતું ચક્કકર પછી...
નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા.
Sep 5, 2020, 10:15 PM IST
નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય, ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ કરાયા રદ
અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 1, 2020, 08:55 PM IST
યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત
યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત હાથ ધવામાં આવી હતી. ડાકોર મંદરી મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટરે અને ડીએસપીએ ડાકોર દોડવું પડ્યું હતું. ડાકોર મંદિર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન ન હોતા સ્વયંસેવકો મુકવા તાકીદ કરાઈ છે.
Jun 8, 2020, 08:41 PM IST
ગુજરાત આરોગ્ય અગ્રસચિવમહીસાગરની મુલાકાત, ધમણ મુદ્દે મૌન સેવીને ગર્ભીત ઇશારો કર્યો?
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મહીસાગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈ આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લાના તમામ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય સ્ટાફ સહિત કર્મચારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને નાથવા જયંતિ રવિએ કંટ્રોલ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
May 30, 2020, 09:15 PM IST
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લકઝરી બસ આગની જ્વાળામાં લપેટાઈ, 28 મુસાફરો હતા સવાર
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર માકવા ગામ પાસે લકઝરી બસમાં આગ લાગવાની ઘટના ઘટી છે. બસમાં કુલ 28 લોકો સવાર હતાં. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. એક કલાકની જહેમત બાદ લક્ઝરી બસમાં લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી.
May 23, 2020, 06:50 AM IST
નડિયાદ: હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ ઘરેથી ફરાર થઈ જતાં તંત્ર દોડતું થયું
નડિયાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ પોતાના ઘરેથી જ ફરાર થઈ ગયું છે. દંપત્તિના ઘરે ખંભાતી તાળું જોવા મળતા તંત્ર ચોંક્યું અને દોડતું થયું છે. વોર્ડ પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દંપત્તિ આણંદથી આવેલું હતું અને તેને હોમ ક્વોરન્ટાઈન કરાયું હતું.
Apr 17, 2020, 02:04 PM IST
કોરોના વાયરસ: અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાતે જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર
ભારત સરકારે કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા લોકોને જાહેરમાં એકત્ર નહી થવા બાબતે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે એક વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ તરીકે અમૂલે કોઈ અજુગતી ઘટના બને નહી તે હેતુથી અને આ એડવાઈઝરી અનુસાર મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે.
Mar 12, 2020, 10:12 AM IST
અહો આશ્ચર્યમ! સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ...!
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, અંબાવના સ્વામિનારાયણ મંદિરના રાધારમણસ્વામી સહિત પાંચની નકલી ચલણી નોટો છાપવાના કેસમાં ધરપકડ કરી છે. આ લોકો નકલી નોટોના સપ્લાય માટે પ્રસાદના બોક્સનો ઉપયોગ કરતા હતા.
Nov 24, 2019, 06:55 PM ISTઠાસરા : કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો, 8 લોકો હથિયાર સાથે તૂટી પડ્યા
ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નડિયા સેશન્સ કોર્ટની બહાર હુમલો થતા જ ખેડા પોલીસ દોડતી થઈ હતી.
Aug 30, 2019, 03:54 PM IST
ડાકોરની રથયાત્રામાં હાથીએ માનસિક સંતુલન ગુમાવતાં થોડો સમય સર્જાઈ અફરાતફરી
જોકે, મહાવતે કુશળતા દાખવીને હાથીને ઝડપથી કાબુમાં લઈ લીધો હતો અને પરિણામે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી
Jul 4, 2019, 04:32 PM IST
ખેડાઃ મહુધા તાલુકાના નંદ ગામે ખાળકુવામાં પડી 4 યુવતી, 1નું મોત
ખાળકુવાનો સ્લેબ અચાનક જ તુટી જતાં બની ઘટના
Jun 27, 2019, 11:13 PM IST
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે મોત, બે ઘાયલ
પીક અપવાનની પાછળ પૂરપાટ આવી રહેલી કાર ઘુસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, કારના આગળના ભાગનો કુચડો બોલી ગયો, ટક્કર એટલી ભીષણ હતી કે માલ ભરેલી પીકઅપ વાન પલટી મારી ગઈ
Apr 5, 2019, 11:30 PM IST
નડિયાદના સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે 1 લાખ 21 હજાર દિવડાનો શણગાર કરાયો
તેલ અને ઘીનો ઉપયોગ કરીને પ્રગટાવાય છે દિવડા, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Nov 23, 2018, 08:43 PM IST
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલને સરકારે યાત્રાધામ જાહેર કર્યું
ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરીને 100 કિલો ચાંદીની તુલા કરાઈ, મુખ્યમંત્રીએ વડતાલમાં નવ નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું
Nov 23, 2018, 06:02 PM IST
અહો આશ્ચર્યમ! પત્નીના ભરણપોષણની રકમ તરીકે પતિએ રૂ.80,000નું પરચુરણ આપ્યું!
વજનદાર કોથળા જોઈને કોર્ટ અને કોર્ટમાં હાજર વકીલો પણ અચરજ પામ્યા હતા.
Aug 29, 2018, 09:01 PM IST