)
Air India Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. અસંખ્ય મુસાફરો વચ્ચે એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ પોતાને લકી માનતા નથી. ઊંડા આઘાતમાં સરી પડેલા વિશ્વાસકુમાર રમેશ હવે લંડન પહોંચી ગયા છે.
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ક્રેશ થઈ ગઈ હતી. તેમાં 230 મુસાફરો સવાર હતા, અને બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. આમાંથી 241 લોકોનાં મોત થયા હતા, જેમાં વિશ્વાસ કુમારના ભાઈ અજયનો પણ સમાવેશ થાય છે. પરંતું આ આઘાત અને પશ્ચાતાપ સાથે જીવવું તેમના માટે હવે સરળ નથી રહ્યું. તેઓ કહે છે કે, “હું એકલો જીવિત બચ્યો, પરંતુ જીવન પહેલા જેવું નથી રહ્યું.
પ્લેન ક્રેશની ઘટના બાદ વિશ્વાસકુમાર ઉંડા આઘાતમાં સરી પડ્યા છે. જેમાંથી હજી બહાર આવ્યા નથી. તેઓ યુકેના લેસ્ટરમાં પરત ફર્યા છે. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હું એકલો જીવિત બચ્યો, પરંતુ જીવન પહેલા જેવું નથી રહ્યું. રૂમમાં એકલો બેસી રહું છું. પત્ની કે બાળકો સાથે પણ વાત નથી કરતો, મન નથી થતું. આખી રાત વિચારતો રહું છું. ઉંઘ નથી આવતી.
તેમણે વધુમાં કહ્યું કે, મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો, એ હંમેશા મારી સાથે ઉભો રહ્યો. આજે હુ બચી ગયો. એ નથી. હવે હું કોઈ સાથે વાત કરવા નથી ઇચ્છતો, બીજાને શું કહું, આ બધુ સહન કરવું મુશ્કેલ છે. વિશ્વાસકુમાર રમેશ કહે છે કે, અમારા માટે દરેક દિવસ પીડાથી ભરેલો છે.
આમ, વિશ્વાસકુમાર માટે પ્લેન ક્રેશની ઘટના વચ્ચે મળેલું જીવન કોઈ ચમત્કારથી ઓછું નથી. પરંતું આ ચમત્કાર હવે તેમના માટે પીડાદાયક બની ગયો છે. તેમનું જીવન પહેલા જેવું રહ્યું નથી. પોતાના બચી જવા કરતા, ભાઈને ગુમાવ્યું દર્દ તેમને ઘેરી વળ્યું છે. તેઓ જ્યારે પણ પોતાનું દર્દ રજૂ કરે છે, ત્યારે સાંભળનાર પણ હચમચી જાય તેવું તેમનું જીવન બની ગયું છે.
યુએસ શટડાઉનથી 260 મોતનો કેસ દાખલ કરવાની પ્રક્રિયા અટકી
આ વર્ષે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. યુએસ સરકારના શટડાઉનને કારણે ક્રેશ સંબંધિત મુકદ્દમાની પ્રક્રિયા અટકી ગઈ છે. ક્રેશમાં જીવ ગુમાવનારા 125 થી વધુ પીડિતોના પરિવારોએ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પાસેથી તપાસ અને ક્રેશ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી માંગી હતી, પરંતુ સરકારી શટડાઉનને કારણે તેમને કોઈ જવાબ મળ્યો નથી. પીડિતોએ FAA પાસેથી મહત્વપૂર્ણ માહિતી માંગી છે. અમેરિકન કાયદાકીય પેઢી બીસલી એલને FAA પાસેથી માહિતી માંગી છે, જે કોકપીટ વોઇસ રેકોર્ડર રેકોર્ડિંગ જેવા મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં મદદ કરશે.
બોઇંગ પર દાવો કરી શકાય છે
એન્ડ્રુઝે જણાવ્યું હતું કે FAAના પ્રતિભાવ અને ફલાઇટ ડેટા રેકોર્ડરના ડેટાના આધારે, જો તપાસની જરૂર પડે તો બીસલી એલન યુએસ કોર્ટમાં બોઇંગ પર દાવો કરવાની યોજના ધરાવે છે. એન્ડ્રુઝે જણાવ્યું હતું કે તેમની ટોચની પ્રાથમિકતા પારદર્શિતા અને લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) માહિતી જાહેર કરવાની છે.
12 જુન 2025 ના રોજ અમદાવાદઈત એક બોઇંગ 787 લંડન જવા ઉપડ્યું હતું. પરંતુ ટેકઓફ થયાના થોડા મિનિટમાં જ, તે એક બોયઝ હોસ્ટેલ સાથે અથડાયું. આ અકસ્માતમાં બોર્ડમાં સવાર તમામ ૨૪૧ લોકો અને જમીન પર ૧૯ લોકો મળત્યુ પામ્યા હતા. એર ઇન્ડિયાની આ ફલાઇટમાં ફક્ત એક જ મુસાફર, બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર, બચી ગયો.