)
Banaskantha News : બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં આવેલ ફટાકડાના ગોડાઉનમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 12 કામદારોના મોતની ખબર સામે આવી છે. તો 5 લોકો ઘાયલ થયા છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાની કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે. વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતાં ગોડાઉન ધરાશાયી થયું હતું. મજૂરોનાં માનવઅંગો દૂર સુધી ફેંકાયાં હતા. હાલ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં અંદર કામ કરતા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે.
કાટમાળમાંથી 12 મૃતદેહો નીકળ્યા - જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ વિશે માહિતી આપી કે, ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાની ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ફેક્ટરીના કાટમાળમાંથી ભડથું થયેલ હાલતમાં 12 મૃતદેહો નીકળ્યા. હજુ SDRF અને ફાયરની ટિમ દ્વારા સર્ચ ચાલુ..
ઘટનાને લઈને FSLની ટીમમે બોલાવવામાં આવી છે. ઘટનાને લઈને તપાસના આદેશ આપી દેવાયા છે.
બનાસકાંઠાઃ ડીસા GIDCમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ; પાણી ગરમ કરવાના બોઈલરમાં બ્લાસ્ટ બાદ આગ....
-3 લોકોના મોત, આગમાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝતા હોસ્પિટલ ખસેડાયા.... #ZEE24Kalak #blast #fire #banaskantha pic.twitter.com/9yaKCnMlqC
— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2025
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો મામલોમાં માહિતી સામે આવી છે. બોઈલર ફાટવાના આશંકાના પગલે બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટને પગલે આખું ગોડાઉન પણ વેરવિખેર થઈ ગયું છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રવીણ માળી પણ રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. અત્યાર સુધી 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, તો અન્ય પાંચથી વધુ ઘાયલ થયા છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.
ફેક્ટરીનો માલિક ફરાર થયો
કાટમાળમાં દબાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા દેખાઈ રહી છે. SDRFની ટીમે પહોંચીને ગોડાઉનમાં ભડથું થયેલ લાશો કાઢવાનું શરૂ કરાયું છે. જોકે, ફેકટરી માલિક ખૂબચંદ્ર નાહલાણી સમગ્ર ઘટનામાં હજુ સુધી ફરાર છે.
લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે.