કૃષ્ણના આદેશથી પાંડવોએ કરેલ રાજસૂય યજ્ઞથી માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધીનો પ્રારંભ થયો

રાજકોટના 17મા રાજવી તરીકે માંધાતાસિંહનું આજે રાજતિલક કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી રાજવી પરિવારના ઘરે નવા રાજવીના રાજતિલકને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો હતો. આજે સવારથી જ રાજતિલકને લઇને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં માતૃકા પૂજન તેમજ અગ્નિ સ્થાપન કરવામાં આવશે. માંધાતાસિંહના રાજતિલકને લઇને અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. 
કૃષ્ણના આદેશથી પાંડવોએ કરેલ રાજસૂય યજ્ઞથી માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધીનો પ્રારંભ થયો

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના 17મા રાજવી તરીકે માંધાતાસિંહનું આજે રાજતિલક કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી રાજવી પરિવારના ઘરે નવા રાજવીના રાજતિલકને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો હતો. આજે સવારથી જ રાજતિલકને લઇને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં માતૃકા પૂજન તેમજ અગ્નિ સ્થાપન કરવામાં આવશે. માંધાતાસિંહના રાજતિલકને લઇને અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. 

ભગવાન કૃષ્ણની આજ્ઞાથી પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની આજે તિલક વિધી થશે. આજથી 3 દિવસ શ્રીધર યજ્ઞશાળામાં ખાસ રાજસૂય યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ચારેય વેદના મંત્રોની આહુતિ આપવામાં આવશે. ૩૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા આહુતી આપવામાં આવશે. ભગવાન કૃષ્ણની આજ્ઞાથી પાંડવો દ્વારા આવો રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો હતો. રાજસૂય યજ્ઞથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય જીવનમાં ધર્મ પ્રત્યેની લાગણી ઉત્પન્ન થાય છે. રાજગાદી સાંભળતા પહેલા રાજાએ પોતાના રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે અને આ પરંપરાને જાળવી રાખી રાજકોટના 17માં ઠાકોર સાહેબ બપોરના સમયે નગરયાત્રાએ નીકળશે.

હીરા ઉદ્યોગને મંદીમાંથી તારવા એસોસિયેશને Budget 2020 માટે મોકલી પોતાની માંગ

શું છે રાજસુય યજ્ઞનું મહત્વ..
રાજ્યાભિષેક, રાજતિલક વિધાન. હિન્દુ સંસ્કૃતિનાં શ્રેષ્ઠ ધર્મગ્રંથો જેમાં ભગવત ગીતા, રામાયણ અને નિર્ણયસિંધુ અને ધર્મસિંધુની અંદર સુંદર મજાનું મહાત્મય આલેખવામાં આવ્યું છે. રાજસુય યજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી પાંડવો દ્વારા કરવામાં આવ્યો હતો. પાંડવોએ જ્યારે રાજસુય યજ્ઞ કર્યો હતો ત્યારે વિશ્વકર્મા ભગવાને શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરી હતી. જેનાં કુંડને કમળનાં ફુલ જેવો આકાર આપવામાં આવ્યો હોય છે. કારણ કે, આ કુંડમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ યજ્ઞ કરવાથી પ્રજાની અંદર સુખ, શાંતિ, ઐશ્વર્ય તેમજ પ્રજામાં જીવ માત્રની અંદર ધર્મ પ્રત્યે પ્રેમ અને લાગણી ઉતપન્ન થાય છે. રાજા ઉન્નતિ તરફ પ્રયાણ કરે છે. રાજગાદી સંભાળતા પહેલા રાજાએ પોતાનાં રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે. આ પરંપરાને રાજકોટનાં રાજવી પરીવાર પણ જાળવી રાખશે. એટલું જ નહિં રાજ્યાભિષેક વિધિમાં 100 જેટલા મુળિયા અને ઔષધીનો ઉપયોગ અને 31 તીર્થજળનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ રાજતિલક વિધી કરીને ગાદી ગ્રહણ કરશે.

રાજવી વિન્ટેજ કારમાં આશાપુરા માતાના દર્શન કરવા જશે 
આજે 28 જાન્યુઆરીથી રાજસૂય યજ્ઞ શરૂ થશે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. રાજસૂય યજ્ઞ માટે શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. રાજવી પરિવારના શાસ્ત્રીજી કૌશિકભાઈ ત્રિવેદીએ આ વિશેનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આજે રાજા માંધાતાસિંહજી જાડેજાની દેહશુદ્ધિ, દસવિધી સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત સહિતની વિધીઓ થશે. માંધાતાસિંહજી આજે વિન્ટેજ કારમાં સવાર થઈને આશાપુરા માતાજીના દર્શન કરવા જશે.

નવા રાજવી નગરયાત્રાએ નીકળશે 
આ રાજતિલકના પ્રસંગમાં દેશના અન્ય રાજ્યોના રજવાડાં અને ગુજરાતના વિવિધ રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે. એટલું જ નહિ, દેશના સંતો-મહેતો, દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભવો પણ ઉપસ્થિત રહેશે. બપોરે 12 કલાકે 2 હજાર થી વધુ ક્ષત્રિય મહિલાઓ તલવાર રાસ રજૂ કરશે, જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે. આ તલવાર રાસમાં ગોહિલવાડની ક્ષત્રિય મહિલાઓ પણ જોડાશે. મહિલાઓ ડ્રાઇવ-ઇન સિનેમા ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. તો સાંજે તમામ વિધિ બાદ નવા રાજવી માંધાતાસિંહ વિશાળ અને ભવ્ય ઐતિહાસિક નગરયાત્રાએ નીકળશે. ઢોલ અને શરણાઇ સાથે નીકળનાર આ યાત્રામાં વિન્ટેજ મોટર્સ, જુની બગીઓ, ઘોડા, હાથી, બળદગાડાં પણ જોવા મળશે. નગરયાત્રા પેલેસ રોડથી શરૂ થઇ લીમડા ચોકથી ભુપેન્દ્ર રોડ પર જશે. જે બાદ પરત પેલેસ રોડ પર સમાપ્ત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news