ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ: 17 જિલ્લા, 28 તાલુકાઓમાં વરસાદ સાથે સિઝનનો 136 ટકા થયો

આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ તેમજ ત્યાર બાદના દિવસોમાં નહિવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગૃપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ  હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી.
ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ: 17 જિલ્લા, 28 તાલુકાઓમાં વરસાદ સાથે સિઝનનો 136 ટકા થયો

અમદાવાદ : આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ તેમજ ત્યાર બાદના દિવસોમાં નહિવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગૃપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ  હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી.

રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયના ૧૭ જિલ્લાઓના  ૨૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ૫૪ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૦/૧૦/૨૦૨૦ અંતિત ૧૧૩૪.૩૩ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૩૬.૫૦ ટકા છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૨/૧૦/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૭.૨૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૬.૭૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૨.૭૬ ટકા વાવેતર થયુ છે.સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં ૩,૦૨,૧૫૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૦.૪૪ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં ૫,૩૪,૩૦૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૯૫.૯૨ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૧૭૯ જળાશય, એલર્ટ ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૦૮ જળાશય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news