ગુજરાતી ન્યૂઝGujaratકેડિલા કંપનીમાં રહસ્યમયી દુર્ઘટના, વોશરૂમમાં 4 કર્મચારી બેભાન થયા, મહિલા કર્મચારીનું મોત

કેડિલા કંપનીમાં રહસ્યમયી દુર્ઘટના, વોશરૂમમાં 4 કર્મચારી બેભાન થયા, મહિલા કર્મચારીનું મોત

Cadila Company Mysterious Death : ધોળકા પાસે આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં ભેદી વાસને કારણે ચાર કર્મચારી બેભાન થયા... એક મહિલા કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું... પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

કેડિલા કંપનીમાં રહસ્યમયી દુર્ઘટના, વોશરૂમમાં 4 કર્મચારી બેભાન થયા, મહિલા કર્મચારીનું મોત

Ahmedabad News : ગુજરાતની પ્રખ્યાત દવા કંપની કેડિલા ફાર્માસ્યુટિકલમાં મોટી દુર્ઘટના બની છે. ધોળકા પાસે આવેલી કેડિલા કંપનીમાં વોશરૂમમાં ચાર કર્મચારીઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેમાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે. તો અન્ય ત્રણ કર્મચારીઓ સારવાર હેઠળ છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ માહિતી હજી સામે આવી નથી. 

ભેદી વાસને કારણે થયું મોત?
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારના રોજ આ ઘટના બની હતી. જેમાં ધોળકાના ત્રાસદમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના વોશરૂમમાં ચાર કર્મચારીઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન વર્ષાબેન રાજપૂત નામની મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે. તો અન્ય ત્રણ કર્મચારીઓ હજી પણ સારવાર હેઠળ છે. જોકે, અસરગ્રસ્ત બે મહિલાઓ અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Add Zee News as a Preferred Source

કેડિલા કંપનીમાં રહસ્યમયી ઘટના કેવી રીતે બની 
આ ઘટના કેવી રીતે બની તેની હજી કોઈ માહિતી કે સ્પષ્ટતા સામે આવી નથી. હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના જવાબદાર સત્તાધીશો અને લોકોના ટોળાં એકઠાં થયા હતા. 

cadila company mysterious death in washroom

એક કર્મચારીએ જણાવી અંદરની વાત
ધોળકાના ત્રાસદની કેડિલા કંપનીમાં નોકરી કરતા એક યુવકે ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, 'એક મેડમ વોશ રૂમમાં ગયા હતા ત્યાં તેઓ પડી ગયા હતા. જેમને બાચાવવા માટે અન્ય લોકો ગયા હતા. પરંતુ અંદરથી દુર્ગધ આવતી હતી. જેના કારણે અન્ય લોકો પણ બેફાન થઈ ગયા હતા ત્યારબાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ બાદ ખરી માહિતી સામે આવશે
મૃતક મહિલા કર્મચારીના મૃતદેહને પોસ્ટમોરટર્મ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જેમાં પેનલ ડોક્ટર દ્વારા તેમનું પોસ્ટમોટર્મ કરવામાં આવશે તેમજ FSLની પણ મદદ લેવામાં આવશે. જોકે, વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news