Prime Minister of Gujarat: ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી બીજી વખત માદરે વતન પધારી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે પોતાની માતૃભૂમિ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર અને બેચરાજી ખાતે વિવિધ વિકાસાત્મક કાર્યક્રમોમાં હાજરી આપશે.

Narendra Modi: આગામી 24 અને 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી સંભાવના છે. આ વડનગર અને બેચરાજીની મુલાકાત દરમિયાન તેઓ પોતાના વતન લેશે તેવી જાણકારી ગુજરાત સરકારના સૂત્રો પાસેથી મળી રહી છે.
આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન કરે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈને તેઓ અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ગાટન પણ કરી શકે છે.
ગુજરાત સરકારને વડાપ્રધાન કાર્યાલયમાંથી સત્તાવાર સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવ્યો નથી. પરંતુ પ્રારંભિક તબક્કે આ કાર્યક્રમને લઈને કોઇ તૈયારી થઇ શકે છે. ગુજરાતના આ પ્રવાસ દરમિયાન 24 ઓગસ્ટે બપોર બાદ મોદી અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે.
અહીં મહાત્મા મંદિરમાં પણ કોઈ જાહેર કાર્યક્રમ યોજાઇ શકે છે. તેઓ રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાત સરકાર તેમજ ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે.