નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર; 15 દરવાજા ખોલાયા, વડોદરા-ભરૂચના આ 27 ગામને કરાયા એલર્ટ

Narmada Dam Water Level Rise: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંઘાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 80 ટકા જળસંગ્રહ થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 132.57 મીટર પહોંચી છે, જ્યારે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધીની છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 2.77 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,07,750 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે નર્મદા ડેમમાંથી 1,37,080 ક્યુસેક પાણીની જાવક છે. ડેમના 15 દરવાજા ખોલી 2.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. 

નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર; 15 દરવાજા ખોલાયા, વડોદરા-ભરૂચના આ 27 ગામને કરાયા એલર્ટ
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More