કરુણાંતિકા: 75 વર્ષના વૃદ્ધાની ઘડપણની લાકડી છીનવાઈ, અકસ્માતમાં તમામ સભ્યોના મોત

આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. અજમેરી પરિવાર ઈકો કારમાં સવાર થઈને ભાવનગર (Bhavnagar) તરફ જઈ રહ્યો હતો

કરુણાંતિકા: 75 વર્ષના વૃદ્ધાની ઘડપણની લાકડી છીનવાઈ, અકસ્માતમાં તમામ સભ્યોના મોત

ઝી મીડિયા બ્યુરો: આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. અજમેરી પરિવાર ઈકો કારમાં સવાર થઈને ભાવનગર (Bhavnagar) તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક સાથે ઇકો કાર અથડાતાં અજમેરી પરિવારના (Ajmeri Family) 8 સભ્યોના મોત થયા છે. ત્યારે કરુણાંતિક એવી બની છે કે, અજમેરી પરિવારમાં 75 વર્ષના દાદા સિવાય ઘરના તમામ સભ્યોના આ અકસ્માતમાં મોત નિપજ્યાં છે.

અજમેરી પરિવારના 8 સભ્યો મોતને ભેટ્યા
તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલ અકસ્માતમાં (Anand Accident) મોતને ભેટેલો અજમેરી પરિવાર (Ajmeri Family) સામાજિક કામે અર્થે સુરત ગયો હતો. મુસ્તુફ ડરૈયાના લગ્ન માટે છોકરી જોવા ગયા હતા. સુરતથી ભાવનગર (Bhavnagar) પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો. જેમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળક સહિત 9 ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ભાવનગરના વરતેજના વતની સીરાજભાઈ જમાલભાઈ અજમેરી ગાદલાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમનો સમસ્ત પરિવાર મોતને ભેટ્યો છે. તમામ લોકો વરતેજ, આદમજીનગર, ઈન્દીરાનગરના વતની છે. તો ડ્રાઈવર રાઘવ ગોહીલનું પણ મોત નિપજ્યું છે. 

જો કે, કરુણાંતિક એવી બની છે કે, અજમેરી પરિવારમાં 75 વર્ષના દાદા સિવાય ઘરના તમામ સભ્યોના આ અકસ્માતમાં મોત નિપજ્યાં અને હવે આ વૃદ્ધ દાદાની ઘડપણની લાકડી બને તેવું કોઈ સભ્ય બચ્યું નથી. ત્યારે આ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોનો આંકડો મોટો હતો. તેથી પેટલાદ, ખંભાત, કરમસદ અને વિદ્યાનગરથી શબવાહીની મંગાવાઇ હતી. કુલ 5 શબવાહિની મંગાવવામાં આવી હતી. જેથી તમામ મૃતદેહોને ભાવનગર નજીકના તેમના વતન પહોંચાડાશે. અકસ્માત બાદ મૃતકોના સ્વજનો પણ તારાપુર રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ભારે ગમગીની દ્રશ્યો જોવા મળ્યા હતા. 

મૃતકોના નામ
રહીમભાઈ સૈયદ (60 વર્ષ)
મુસ્તુફા ડેરૈયા (22 વર્ષ) 
સીરાજભાઈ અજમેરી (40 વર્ષ)
મુમતાઢબેન અજમેરી (35 વર્ષ)
રઈશ સીરાજભાઈ (4 વર્ષ) 
અનીસાબેન અલ્ત‍ાફભાઈ (30 વર્ષ)
અલ્ત‍ાફભાઈ (35 વર્ષ)
મુસ્કાન અલ્તાફભાઈ (6 વર્ષ)

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂ. 2-2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news