‘કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી, તેથી ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરો’

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો પણ ગૃહમંત્રી અમિત શાહે ફાળવી આપી છે. આ વાવાઝોડું લગભગ પાંચથી છ કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદથી અસર કરશે.

‘કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી, તેથી ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરો’

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો પણ ગૃહમંત્રી અમિત શાહે ફાળવી આપી છે. આ વાવાઝોડું લગભગ પાંચથી છ કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદથી અસર કરશે.

તેમણે કોરોના વાયરસ અને લોકડાઉન અંગે જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસની બીમારી સામે આરોગ્યની સેવાઓ તેનું પણ પ્રેઝન્ટેશન આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.  લોકો મોટા પ્રમાણમાં ધંધા-રોજગાર માટે બહાર નીકળી રહ્યાં છે. લોકોની જરૂરિયાત છે. જોકે, હજુ પણ કોરોના વાયરસની બીમારી ચાલુ છે ચાલુ છે. નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી. આથી વારંવાર નાગરિકોને કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં જશે પણ નહિ. તેથી બધી જ ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરવું જરૂરી છે. પ્રજામાં સરકાર ઝુંબેશ ચલાવશે કે કોરોનાવાયરસ સાથે વેપાર ધંધામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને જાગૃતિ રાખવી. રાજ્ય સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટી બનાવી દીધી છે કે, હવે રાજ્ય સરકારને કોરોના વાયરસમાં લેવાના પગલાઓની સલાહ અને માર્ગદર્શન આપશે. નિષ્ણાત ડોક્ટરોની કમિટીની સલાહ પ્રમાણે આરોગ્ય વિભાગ કામ કરશે તેવો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. 

નિસર્ગ વાવાઝોડાની અસર અંગે તેઓએ જણાવ્યું કે, જ્યાં દરિયાકિનારો લાગુ પડે છે ત્યાં સૌથી વધારે અસર થશે અને ત્યાં એટલા જ માટે સ્થળાંતરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાંથી પરત લાવી દેવામાં આવ્યા છે. વાપી, વલસાડમાં મોટાભાગની ફેક્ટરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે તમામ ફેકટરીઓ બંધ છે. મંત્રીમંડળની બેઠકમાં મહેસુલ વિભાગ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર સતત નિસર્ગ ઉપર નજર રાખી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news