પ્રેમલ ત્રિવેદી/પાટણ : જનેતાની મમતા ઇતિહાસના પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે, જનનીની જોડ સખી નહિ મળે રે લોલ. કહેવાય છે કે માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી તેવા અનેક દાખલા આપડે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ. જોકે આવી જ એક પરંપરા આજે પણ સજીવન છે કે જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ માતાઓ મુકે છે દોટ. ઉઘાડા પગે દોટ મુકતી જનેતાઓને નિહાળવો પણ એક લહાવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથમાં પકડાઇ વિશાળ કાય માછળી, ઉચકવા માટે ક્રેન જોવા માટે સેંકડો લોક એકત્ર થયા


પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ભ્રાંમણવાડા ગામે છેલ્લા છસોથી સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે. અને આ પ્રસંગ સમગ્રમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમાં જેના ઘરે પ્રથમ પુત્ર નો જન્મ થયો હોય તેની માતા હોળીની ઝેમ નિમિત્તે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખે છે, બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં તૈયાર કરવામાં આવે છે. બાદમાં સમુહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે ત્યાર બાદ ગોગાબાપજીના મંદિરે જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે.


RAJKOT: સેનિટાઇઝરનું અવળું ગણીત, 1 કેસ હતો ત્યારે 50 હજાર લિટર વેચાતું હવે 150 કેસ છે ત્યારે...


સમગ્ર સમાજની બહેનો આ ઉત્સવ માં જોડાય છે. ઘીની સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે. આ પ્રસાદ તમામ ઘરે વહેંચવામાં આવે છે. જે મહિલાને ઝેમ હોય છે તે મહિલાને ગોગાબાપજીના મંદિરે દર્શન કરવાના હોય છે. ત્યાર બાદ તમામ ઉપવાસ ધારી મહિલાઓ મંદિરેથી ઉઘાડા પગે તેમના હાથમાં શ્રીફળ રાખે છે. જ્યાં તેમની પાંસલી ભરાવવામાં આવે છે. પુજારીઓ દ્વારા દોડમાં ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે, તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે. બાદમાં પુજારી દોડ માટેની આદેશ કરતાજ મહિલાઓ ધોમ ધમતા તડકામાં ઉઘાડા પગે માર્ગપર દોટ મુકે છે આ દોડ પાછળની એક લોક વાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળકની સલામતી તેમજ સારૂ સ્વાસ્થ સારૂ રહે છે તેના માટે મહિલાઓ આ પરંપરા ને પેઢી દર પેઢી આજે પણ જાળવી રાખી છે. જેમાં ચાલુ સાલે ગામની 16 જેટલી મહિલાઓ ને ત્યાં પ્રથમ પુત્ર ની પ્રાપ્તિ થઈ અને તે તમામ બહેનોએ આ પરંપરા માં પોતાના પુત્ર માટે લીધો છે ભાગ.


આજે પણ આ ઓરડો ગાંધીજીની જીવંત સ્મૃત્તિનો છે સાક્ષી, બાપૂએ અહીં કર્યું હતું રાત્રિ રોકાણ


ગોગા મહારાજના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધીની લગભગ એક કિલોમીટર જેટલી લાંબી દોડ મહિલાઓ ગણત્રીની મીનીટો માજ પૂરી કરી દે છે. જોકે આ દોડમાં પરિવારની અન્ય મહિલાઓ પણ મદદ કરવા માટે સાથે દોડે છે ત્યાર બાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્શન કરી આ ઝેમની બાધા પૂર્ણ કરવામાં આવે છે. જો કે આ દોડમાં જે મહિલા પ્રથમ આવે છે તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે તેવી પણ એક માન્યતા રહેલી છે બાદમાં મંદિરે આવેલ તમામ ઉપવાસ ધારી અને દોડ ધારી મહિલાઓને મંદિરે માતાજીના પુજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. બાદ માં આ શ્રધાની આ દોડ પૂર્ણ માનવામાં આવે છે.


અતુલ બેકરીના માલિકનો હિટ એન્ડ રનનાં કેસમાં પોલીસ ભીનુ સંકેલવાનાં મુડમાં, હળવી કલમો લગાવતા અનેક સવાલ


એટલેજ કહેવાય છે ને કે દુનિયા ભલે ટેકનોલોજી પર ચાલતી હોય પરંતુ આજે પણ આસ્થા સાથે ચાલનારા લોકોની કમી નથી આમતો સાયંસ અને વિજ્ઞાનના આ આધુનિક  યુગમાં બાળકો  માતાજીના આશીર્વાદથી તંદુરસ્ત રહે તે વાત ગળે ઉતારવી જરા મુશ્કેલ જરૂ છે પરંતુ શ્રદ્ધા આગળ સાણપણ વામણા પુરવાર થાય છે તે ચોક્કસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube